અલંગમાં HKCની સવલતો છતા E.U.ની માન્યતા નહીં

અલંગમાં HKCની સવલતો છતા E.U.ની માન્યતા નહીં

અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે આવશ્યક્ હોંગકોંગ કન્વેન્શન (એચકેસી) મુજબની સવલતો મોટાભાગના પ્લોટમાં ઉપલબ્ધ છે, છતા યુરોપીયન યુનિયન (ઇ.યુ.) માન્યતા આપવા માટે વિલંબ કરી રહ્યુ છે.

સમયાંતરે શિપ બ્રેકિંગની પધ્ધતિઓમાં પર્યાવરણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી અને તબદીલીઓ કરવામાં આવી રહી છે. શિપબ્રેકિંગ ક્ષેત્રે હોંગકોંગ કન્વેન્શનની ભલામણો મુજબની સવલતો અલંગમાં મોટાભાગના શિપ બ્રેકિંગ પ્લોટમાં મોજુદ છે. કરોડો રૂપિયાના ખર્ચે પ્લોટ અપગ્રેડ કરાવવામાં આવ્યા છે.

યુરોપીયન યુનિયન દ્વારા તૂર્કિના અલિયાગા શિપબ્રેકિંગ યાર્ડને માન્યતા આપવામાં આવેલી છે, ત્યાં પણ બીચિંગ પધ્ધતિથી જ શિપબ્રેકિંગ થાય છે, અને ત્યાંની સવલતો, નિયમો, પર્યાવરણની જાળવણી અલંગની સરખામણીએ ઉતરતી કક્ષાની છે. અન્ય જહાજોની સરખામણીએ ઇ.યુ. દ્વારા ફાળવવામાં આવતા જહાજોના ભાવ સસ્તા હોય છે.

​​​​​​​અલંગમાં ઇ.યુ.ની માન્યતા માટે લાંબા સમયથી રાહ જોવડાવવામાં આવી રહી છે, પરંતુ નધણીયાત હાલતમાં ગરકાવ અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગને ઇ.યુ.ની માન્યતા મળવાની કાગડોળે રાહ છે. ઇ.યુ. દ્વારા ટ્રોમા સેન્ટર, જોખમી કચરાના સંચાલનનું અપગ્રેડેશન જેવી બાબતોને આગળ ધરવામાં આવી છે. આ તમામ બાબતો સંબંધિત સરકારો દ્વારા પરિપૂર્ણ કરવાની રહે છે, પરંતુ હજુ સુધી પૂર્તતા કરવામાં આવી નહીં હોવાથી ઇ.યુ. દ્વારા માન્યતા આપવામાં વિલંબ સર્જાય રહ્યો છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow