અનેક દેશોની ખેંચતાણને પગલે દિલ્હીની શાંતિ ફોર્મ્યુલા અટવાઇ

અનેક દેશોની ખેંચતાણને પગલે દિલ્હીની શાંતિ ફોર્મ્યુલા અટવાઇ

ભારતના નેતૃત્વમાં જી-20 ગ્રૂપના વિદેશમંત્રીઓની મહત્ત્વપૂર્ણ બેઠક બુધવારથી શરૂ થઇ રહી છે. અહીં રશિયા-યુક્રેન વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે ફોર્મ્યુલા તૈયાર થવાની આશા વ્યક્ત કરાઇ રહી છે. બેઠક પહેલાં જર્મનીના ચાન્સેલર ઓલફ શુલ્ઝે નવી દિલ્હી આવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી છે.

એનએસએ અજિત ડોભાલે મોસ્કોમાં વ્લાદિમીર પુટિન સાથે વાતચીત કરી છે. બીજી બાજુ, અમેરિકન વિદેશમંત્રી એન્ટોની બ્લિંક્ને ભારતીય પક્ષ સાથે વાતચીત કરી છે. અલબત્ત જી-20નાં નાણામંત્રીઓની બેઠકમાં રશિયા-ચીન અને પશ્ચિમી દેશોના કઠોર વલણના કારણે આ બેઠકમાં પણ તેમની વચ્ચે રાજદ્ધારી સંઘર્ષ જોવા મળી શકે છે. યુક્રેન યુદ્ધને લઇને સંયુક્ત નિવેદનમાં કઠોર નિંદાની બાબત પર રશિયા-ચીન સહમત થયા નથી. સંયુક્ત નિવેદનના બદલે ભારતે પરિણામો અને દસ્તાવેજો રજૂ કર્યા છે. સાથે કહ્યું છે કે નિંદા સંબંધિત વાત પર રશિયા-ચીન સહમત નથી.

ચીનને સંદેશ.. વિદેશમંત્રીઓની બેઠક સાથે ક્વાડ બેઠકઃ ભારતે જી-20 વિદેશમંત્રીઓની બેઠક દરમિયાન ક્વાડ દેશોના વિદેશમંત્રીઓની બેઠક આયોજિત કરી છે. આ બેઠકમાં ભારત ઉપરાંત અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રીઓ પણ મળશે. જાપાન તરફથી તેમના નાયબ મંત્રી પહોંચશે. આ બેઠક ચીનને પસંદ પડશે નહીં. ક્વાડને લઇને ચીને પોતાની પરેશાની રજૂ કરી છે. ચીન આની સામે વાંધો પણ ધરાવે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow