ખેડૂતોને નુકસાનની થપાટ

ખેડૂતોને નુકસાનની થપાટ

ગુજરાતના અનેક વિસ્તારોમાં શિયાળાની ઋતુ દરમિયાન કમોસમી વરસાદ, માવઠા થઈ રહ્યા છે, તેની સીધી અસર ખેડૂતો ઉપર પડી રહી છે. અત્યાર સુધીમાં 7 થી 8 માવઠા, કમોસમી વરસાદ વરસી ચુક્યો હોવાનું જણાવ્યું હતું. હજૂ માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. આ વર્ષે માવઠાને કારણે તૈયાર પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે વળતર માટે સરકાર પાસે આજીજી કરી રહ્યા છે.

સરકાર દ્વારા પાક નુકસાનના સર્વે અને સહાય માટે મોટી વાતો કરી છે પરંતુ હકીકત શું છે તે ફક્ત ખેડૂતો જાણે છે. જેટલો ખર્ચો કર્યો છે એટલી કમાણી નથી થઈ રહી. જે પાક બચ્યો છે તે ભેજથી ઓછી ગુણવત્તાનો થયો છે અને ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે, સર્વેમાં ધાંધિયા થયા છે જ્યાં સર્વે થયો છે ત્યાંના ખેડૂતોને હજુ સુધી સહાય નથી મળી. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને 50 ટકા જેવું વળતર ચુકવવામાં આવે તો ખેડૂતોને રાહત થઈ શકે તેમ છે.

ગોંડલ યાર્ડમાં ધાણા, લસણ, ઘઉં, ડુંગળીની આવક બંધ કરાઇ
હજુ પણ હવામાન વિભાગની આગાહી હોય ગોંડલ યાર્ડ દ્વારા યાર્ડમાં ધાણા, લસણ, ઘઉ, અને ડુંગળી ની આવક સંપૂર્ણ પણે આવક બંધ કરવામાં આવી છે અને જે જણસીને બંધ શેડમાં ઉતારવાની સગવડતા છે તેવી જણસીની આવક ચાલુ રખાઇ છે ગત રોજ કમોસમી વરસાદને લઈને થયેલ નુકસાન બાબતે યાર્ડના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું કે ખેડૂતોની જણસીને કોઈ પ્રકારનું નુકસાન થયેલ નથી જે નુકસાન થયું છે તે વેપારીઓના ખરીદેલ માલને થયું છે. ગોંડલ યાર્ડ દ્વારા હાલ તો જણસીની આવક બંધ કરેલ છે અને ખેડૂતોને નવી સૂચના આપવામાં આવી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow