સિટીગ્રુપે ત્રીજા ક્વાર્ટરમાં 2,000 કર્મચારીઓની છટણી કરી

સિટીગ્રુપે ત્રીજા ક્વાર્ટરમાં 2,000 કર્મચારીઓની છટણી કરી

સિટીગ્રુપે ત્રીજા ક્વાર્ટર (Q3)માં તેના 2,000 કર્મચારીઓને છૂટા કર્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આ છટણીને કારણે, કંપનીના વર્ષ માટે કુલ સેવરેંસ ચાર્જ (બરતરફીની કિંમત) વધીને 650 મિલિયન ડોલર એટલે કે 5,413 કરોડ રૂપિયા થઈ ગયા છે.

સિટીગ્રુપે આ વર્ષે કુલ 7,000ને નોકરીઓમાંથી છૂટા કર્યા
સિટીગ્રુપના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર માર્ક મેસને વિશ્લેષકો સાથે કોન્ફરન્સ કોલ પર અર્નિંગ્સ પર ચર્ચા કરતાં જણાવ્યું હતું કે કંપનીએ આ વર્ષે કુલ 7,000 નોકરીઓમાં કાપ મૂક્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જૂનના અંતમાં નોંધાયેલા અગાઉના કુલ સેવરેંસ ચાર્જ 450 મિલિયન ડોલર એટલે કે રૂ. 3,747 કરોડ હતા, જે લગભગ 5,000 નોકરીઓમાં કાપ માટે હતા.

કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થવાને કારણે રિપોઝિશનિંગ ચાર્જિસ
મેસને એમ પણ કહ્યું કે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનું કારણ રિપોઝિશનિંગ ચાર્જિસ છે. સિટીગ્રુપે ગયા મહિને જાહેરાત કરી હતી કે કંપની રિસ્ટ્રક્ચરરિંગ કરશે, ફર્મને પાંચ મુખ્ય વ્યવસાયો પર ફરીથી ફોકસ કરશે.

રિસ્ટ્રક્ચરરિંગથી ​​​​​​​​​​​​ નોકરીમાં ઘટાડો થશે
અહેવાલ મુજબ, જૂથે કહ્યું છે કે રિસ્ટ્રક્ચરરિંગથી​​​​​​​ ​​​​​​​​​​​​ નોકરીમાં ઘટાડો થશે, પરંતુ કંપનીએ હજુ સુધી સંખ્યા જાહેર કરી નથી. કાપ છતાં, કંપનીના કુલ 2,40,000 કર્મચારીઓની સંખ્યા છેલ્લા ચાર ક્વાર્ટરમાં સ્થિર રહી છે. કંપનીએ તાજેતરમાં કેટલાક ટેક્નોલોજી સ્ટાફ અને અન્ય કર્મચારીઓને જોડેયા છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow