ચીન સરહદે 500 ગામ ફરી વસાવાશે

ચીન સરહદે 500 ગામ ફરી વસાવાશે

ચીન સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)ને નાગરિક પ્રહરીઓ દ્વારા સજ્જ કરવા માટે ભારત સરકાર અને સૈન્ય મોટું પગલું ભરવા જઈ રહ્યાં છે. દેશ માટે આંખ-કાન-નાક માનવામાં આવતા સરહદી વિસ્તારોના ગામોને ફરી રહેવા લાયક બનાવવા, અહીંથી સ્થળાંતર રોકવા અને પ્રવાસીઓને સરહદના છેલ્લા ગામની સહેલ કરાવવા માટે 500 ગામોનો ફરી આબાદ કરવાનો નિર્ણય લેવાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 ઓક્ટોબરે ઉત્તરાખંડમાં કેદારનાથ અને બદ્રીનાથના પ્રવાસ દરમિયાન એલએસીના છેલ્લા ગામ માણા જઈને તેને વાઇબ્રન્ટ વિલેજનો દરજ્જો આપશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીન સાથેની વિવાદીત સરહદની આસપાસના આ ગામ લદ્દાખથી લઈને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કીમ અને અરૂણાચ પ્રદેશ સુધી ફેલાયેલા છે. ભારતીય સૈન્ય અને પ્રશાસન આ ગામોને સંયુક્ત રીતે વિકસિત કરશે. ભારતીય સૈન્ય આ ગામોના લોકોનું વિશેષ ધ્યાન રાખશે. ગ્રામજનોને ફરી ગામ છોડવું ન પડે એ માટે તમામ સુવિધાઓ આપવામાં આવશે.

એલએસીના ગામોને નજીકના મોટા શહેરો સાથે રસ્તાથી જોડવામાં આવશે. સાથે જ પ્રવાસન મંત્રાલયની મદદથી ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ પણ તૈયાર કરવામાં આવશે. સરકારની યોજના મુજબ આ તમામ ગામોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતા સરહદ પર નજર રાખવાનું કામ સરળ બની જશે. આ ઉપરાંત એલએસી પર તહેનાત સૈનિકો માટે આ વિસ્તાર વેરાન નહીં રહે. પ્રવાસીઓના આગમનથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થશે અને આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow