જામનગરના સાંસદ, ધારાસભ્ય અને મેયર પાસે ભાજપે માફીપત્રો લખાવ્યાં!

જામનગરના સાંસદ, ધારાસભ્ય અને મેયર પાસે ભાજપે માફીપત્રો લખાવ્યાં!

ભાજપના જામનગરના સાંસદ, જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા અને જામનગરના મેયર બીના કોઠારી વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ હતી. આ ટપાટપી પછી ત્રણેય નેતાઓને ગાંધીનગરમાં બોલાવાયા હતા. ત્રણેય મહિલા નેતાઓ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીને મળ્યા હતા. આ પછી ત્રણેયના વ્યવહારથી ભાજપની આબરુ પર ઘા થયો હોવાથી ત્રણેય પાસેથી માફીપત્ર લખાવી લેવાયાં હોવાનું મનાય છે. આ બાબતે ભાજપ પ્રદેશના મુખ્ય પ્રવકત્તા યમલ વ્યાસને પૂછતા તેમણે કહ્યું હતું કે, ત્રણ મહિલા નેતાઓ પાસે માફીપત્ર લખાવ્યો હોવાનું મારી જાણમાં નથી.

આ ત્રણેય નેતાઓ ગાંધીનગરમાં જામનગરના મંત્રીઓને મળીને મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પણ મળ્યા હતા. સાંસદો સાથેની બેઠકમાં મંગળવારે સાંસદ પૂનમ માડમ આવ્યા પછી તેમનો પણ ખુલાસો લેવામાં આવ્યો હતો. ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીના કોઠારીને પણ સાંભળવામાં આવ્યા હતા. ત્રણેય નેતાઓ વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું હતું અને ત્રણેયને પક્ષની શિસ્તમાં રહીંને કામ કરવાની તાકીદ કરાઈ હતી.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow