દુબઈથી 13 ઓઇલ કન્ટેઇનર મંગાવવામાં મોટા વરાછાના વેપારીએ 66 લાખ ગુમાવ્યા

દુબઈથી 13 ઓઇલ કન્ટેઇનર મંગાવવામાં મોટા વરાછાના વેપારીએ 66 લાખ ગુમાવ્યા

દુબઈથી ઓઇલના 13 કન્ટેઇનરો મંગાવવાના ચક્કરમાં મોટા વરાછાના ઓઇલના વેપારીએ 66.17 લાખની રકમ ગુમાવી છે. સરથાણા પોલીસમાં ઓઇલના વેપારી પાર્થ મોહનભાઈ ગરસોંદીયાએ ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે એજન્ટ રવિન્દ્ર ગૌર (રહે, મનમંદિર રો હાઉસ, અડાજણ), નીશીત સતીશ દેસાઈ (રહે, દરજી ફળિયું,ભરથાણા), આર્યન મુનાફ પઠાણ (રહે, સરવન ટેકરા, રાવપુરા, વડોદરા) અને મુનાફ પઠાણ (રહે, હમરીયાહ, ફ્રી ઝોન શારજાંહ, યુએઈ) સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. જેમાં આર્યન અને મુનાફ પિતા-પુત્ર છે. બન્ને હાલમાં દુબઈમાં છે.

વરાછાના ઓઇલના વેપારીએ 66.17 લાખની રકમ ગુમાવી
વેપારીની વર્ષ 2022માં જુલાઇ માસમાં એક મિત્રએ રવિન્દ્ર ગૌરની ઓળખાણ કરાવી અને તે ઈન્ડિયા માર્ટમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. પછી વેપારી રવિન્દ્ર સાથે ઓઇલનો ધંધો કરતા હતા. વેપારીને બેઝ ઓઇલના જથ્થાબંધ માલની જરૂર પડી હતી. આથી એજન્ટ રવિન્દ્રએ વેપારીને અદરાબ પ્રેટ્રોકેમ ઈન્ડિયા કંપનીના મેઇન એજન્ટ તરીકે નીશીત દેસાઇ હોવાનું જણાવી દુબઈમાં તેની સાથે વાત કરાવી હતી. બે બેઝ ઓઇલના કન્ટેઇનરનો માલ અરબ દેશમાંથી મંગાવી આપવા નીશીત દેસાઈને વેપારીએ 22 લાખની રકમ આરટીજીએસથી આપી હતી.

વેપારીએ 22 લાખની રકમ આરટીજીએસથી આપી
આ ઉપરાંત રવિન્દ્ર પાસેથી ધંધાની 12.17 લાખની રકમ નીકળતી હતી. ટોટલ 3 કન્ટેઇનરો માટે વેપારીએ 34.17 લાખની રકમ આપી હતી. વળી ઠગ ટોળકીએ માલનું ઈનવોઇસ, પેકેજીંગ લીસ્ટ, કંપનીનું સર્ટીફીકેટ, એલોટી લેટર અને માલ લોંડીગનો વિડીયો મોક્લ્યો હતો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow