ચેતજો! કારમાં CNG હોય ત્યારે ભૂલથી પણ ન કરતાં આવી ભૂલ, સીધું જ જીવનું જોખમ

ચેતજો! કારમાં CNG હોય ત્યારે ભૂલથી પણ ન કરતાં આવી ભૂલ, સીધું જ જીવનું જોખમ

કારમાં સીએનજી કિટ લગાવી છે તો આ બાબતોનુ રાખજો ખાસ ધ્યાન

સીએનજી કારનો ઉપયોગ કરતા જો તમે બેદરકારી દાખવો છો તો આ તમારા માટે જોખમ સાબિત થઇ શકે છે. તમારે ઘણી બધી વસ્તુઓનુ ધ્યાન રાખવાનુ હોય છે. જો કારમાં સીએનજી કિટ લગાવેલી હોય તો અમુક વાતને લઇને સાવધાન રહેવાની જરૂર હોય છે. એવામાં આવો તમને જણાવીએ કે તમારે કઈ ભૂલોથી બચવાનુ છે.

રેગ્યુલર ટેસ્ટિંગ ન કરાવવાની ભૂલ

રેગ્યુલર ટેસ્ટિંગ ન કરાવવાની ભૂલથી બચવુ જોઈએ. કારની સીએનજી કિટની દર વર્ષે કોઈ અધિકૃત સર્વિસ સેન્ટર પર ટેસ્ટિંગ અવશ્ય કરાવો. જેના પરથી ખબર પડશે કે ક્યાય કોઈ તોડફોડના કારણે કોઈ પણ પ્રકારનુ લીક તો થઇ રહ્યું નથી ને. સમય પર સર્વિસ કરાવો અથવા થઇ શકે તો સર્વિસનો સમય આવતા થોડી પહેલા સર્વિસ કરાવી નાખો. એર ફિલ્ટર, ફિલ્ટર કાર્ટેજ અને લો-પ્રેશર ફિલ્ટરને ચોખ્ખુ રાખો.

સ્પાર્ક પ્લગને ઈગ્નોર કરવાની ભૂલ

સ્પાર્ક પ્લગને ઈગ્નોર કરવાની ભૂલ ન કરો. સીએનજી કારના સ્પાર્ક પ્લગની નિયમિત તપાસ કરાવતા રહો અને તેને ચોખ્ખો રાખો. જરૂર પડે તો તેને બદલાવી નાખો. કારણકે આ જલ્દી ખરાબ થાય છે. થ્રોટલ બોડી અને પોતાના સીએનજી સિસ્ટમના અન્ય ભાગની પણ તપાસ સમય પ્રમાણે કરાવતા રહો. જેનાથી આ નક્કી થશે કે કિટના બધા પાર્ટ સારી સ્થિતિમાં છે.

સીએનજી ટેન્ક ટેસ્ટ કરાવવાનુ ના ભૂલો

સીએનજી ટેન્ક ટેસ્ટ કરાવવાનુ ના ભૂલો. કોઈ અધિકૃત સર્વિસ સેન્ટર પર પોતાના સીએનજી ટેન્કનો રેગ્યુલર ટેસ્ટ કરાવો. આ ઉપરાંત જાતે પણ સમય પ્રમાણે ટેન્ક પર નજર રાખો. જો કોઈ ક્ષતિ, કાટ અથવા તિરાડ દેખાય તો ટેન્કને બદલાવી નાખો. ટેન્કના વાલવને પણ ચેક કરતા રહો. ટેન્કને વધુ ન ભરશો. ગરમીમાં બે-તૃતિયાંશ ક્ષમતા સુધી ભરો. તેનો એક્સપાયરી ડેટ બાદ ઉપયોગ ના કરશો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow