લગ્ન પ્રસંગે ડીજે, દાંડિયારાસ, વરઘોડા પર પ્રતિબંધ!

લગ્ન પ્રસંગે ડીજે, દાંડિયારાસ, વરઘોડા પર પ્રતિબંધ!

ડીસા તાલુકાના સમૌ મોટા ગામના પાંચ પરગણા બ્રહ્મ સમાજ દ્વારા સમાજ માટે બંધારણ અમલ મુકાયું છે યુવાનો વડીલો અને મહિલાઓની સંમતિથી સમાજના વડીલોએ કેટલીક પાબંધીઓ લગાવી છે. સમાજમાં ખોટા ખર્ચ બચશે, ઊંચ-નીચનો ભેદ નહીં રહે અને તમામ સમાજ એક સાથે રહી શકશે. સમાજમાં ડીજે લગ્ન પ્રસંગમાં ઠંડા પીણા લગ્ન પ્રસંગમાં પ્રીવેડિંગ તથા મરણ પ્રસંગમાં બારમા દિવસે તમામ વિધિ પૂર્ણ કરી દેવાનું બંધારણ બનાવ્યું છે.

ગામના બ્રહ્મ સમાજના પરિવાર અને સમૌમોટા ગામના બહાર રહેતા બ્રહ્મ સમાજના પરિવારોને લાગુ પડશે અને આ નિયમોમાંથી એક પણ નિયમનો ભંગ થશે તો જેને 51 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે અને આ દંડની રકમ છે એ સમાજના સારા કાર્યોમાં વપરાશે. આ બંધારણ નર્મદેશ્વર મહાદેવની સાક્ષીએ સમસ્ત સમી-મોટા ગામના બહ્મસમાજની હાજરીમાં બનાવેલ છે.

17 એપ્રિલથી અમલી થનાર બ્રહ્મસમાજનું સામાજિક બંધારણ 1. ડીજે દાંડીયારાસ. વરઘોડો, ફટાકડા, હલ્દી પ્રથા બંધ. 2. વર-વધુની વેલકમ એન્ટ્રી તથા બેડ સજાવટ બંધ, 3. પ્રિ-વેડિંગ પ્રથા, લગ્ન પહેલાં દીકરા કે દીકરીને ફોટા બંધ. 4. બેબી સાવર પ્રથા બંધ. 5. મરણમાં પોણો મહીનાને બદલે વિધી 12 દિવસમાં પુર્ણ કરવી. 6. જન્મ તથા લગ્ન એનિવરસરીમાં ડેકોરેશન તથા કૈક પ્રથા બંધ 7. લગ્ન મંડપમાં ગેલેરી ફોટા લગાવવા નહી. એક પોસ્ટર લગાવવું, 8. લગ્ન પ્રસંગમાં લાઈવ, ઠંડાપીણા સહિત વધારાનો ખર્ચો નહીં. 9. લગ્ન પ્રસંગના જમણવારમાં ત્રણ મીઠાઈ, બે શજી, દાળ-ભાત, ફરસાણ, પુરી-રોટલી, પાપડ-સલાડ જેવ લીમિટેડ મેનું રાખવું. 10. લગ્ન ચૌરીમાં ફટકાડા, સ્પ્રે જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો નહી. 11. વર-વધૂને તૈયાર કરવા બહારથી બ્યુટીપાર્લર લાવવી નહી તથા બહાર તેમને બેસાડવા નહીં.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow