ચા બનાવ્યા બાદ તેના કૂચા કચરામાં ફેંકી ના દેતા, આ રીતે ઉપયોગમાં લેવાથી થશે ખૂબ ફાયદો

ચા બનાવ્યા બાદ તેના કૂચા કચરામાં ફેંકી ના દેતા, આ રીતે ઉપયોગમાં લેવાથી થશે ખૂબ ફાયદો

ભારતમાં ચાના પ્રેમીઓની કોઈ કમી નથી. પાણી પછી સૌથી વધુ પીવામાં આવતું પ્રવાહી ચા છે. સવારે ઉઠ્યા બાદથી લઈને દિવસભર ફ્રેસ રાખવા માટે ચાની ચુસકીઓ સુકૂન આપે છે. સામાન્ય રીતે ચા બનાવ્યા પછી આપણે વધેલા ચાના કૂચાને ડસ્ટબીનમાં ફેંકી દઈએ છીએ પરંતુ જો તમે તેના ફાયદા વિશે જાણી જશો તો ભૂલથી પણ આ ભૂલ નહીં કરો. ચાલો જાણીએ કે આપણે બાકીના ચાના કૂચાનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરી શકીએ.

વધેલા ચાના કૂચાનો કેવી રીતે કરશો ઉપયોગ?

વાળમાં આવશે ચમક
કેટલાક લોકોના વાળની ​​ચમક ઓછી થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે વધેલા ચાના કૂચાનો ઉપયોગ કરી શકો છો. તે કુદરતી કંડીશનરનું કામ કરે છે. આ માટે વઘેલા ચાના કૂચાને સ્વચ્છ પાણીથી ધોઈ લો અને તેને ગાળી લો. હવે તેને પાણીથી ભરેલા વાસણમાં ઉકાળો અને જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેનાથી વાળ ધોઈ લો, જો તમે આ નિયમિત કરશો તો વાળમાં અદભૂત ચમક આવશે.  

છોડ રહેશે સ્વસ્થ્ય
ઘણા લોકો પોતાના ઘરોમાં છોડ લગાવવાના શોખીન હોય છે. પરંતુ ક્યારેક આ છોડ સુકાઈ જાય છે. આવી સ્થિતિમાં ચાના વધેલા કૂચા સાફ કરીને. તેને કૂંડામાં નાખી દો. તે ખાતરની જેમ કામ કરશે અને છોડ  લીલાછમ જોવા મળશે.

રૂઝાઈ જશે ઘા
ચાના પાંદડામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેનો ઉપયોગ ઈજા પહોંચી હોય તેની સારવાર માટે કરે છે. આ માટે વધેલા ચાના કૂચાને સાફ કરો અને તેને પાણીમાં ઉકાળો અને ઠંડુ થયા પછી તેને ઈજા પર લગાવો પછી થોડીવાર પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો.

ઓયલી વાસણો થશે સાફ
ઓઈલી વાસણોને સ્વસ્છ કરવા ખૂબ જ મુશ્કેલ હોય છે. ઘણી વખત તેને સારી રીતે ધોયા પછી પણ તેલની દુર્ગંધ દૂર થતી નથી. આવી સ્થિતિમાં તમે વઘેલા ચાના કૂચાને ઉકાળો અને પછી તેલવાળા વાસણોને સરળતાથી સાફ કરી લો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow