બેંકમાં ઇન્ટરવ્યૂ આપવા નીકળેલા યુવકનું રસ્તામાં હાર્ટફેઇલથી મોત

બેંકમાં ઇન્ટરવ્યૂ આપવા નીકળેલા યુવકનું રસ્તામાં હાર્ટફેઇલથી મોત

શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતો યુવક બેંકમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યો હતો ત્યારે અચાનક જ નાનામવા રોડ પર ઢળી પડ્યો હતો. હાર્ટફેઇલ થવાથી તેનું મૃત્યુ થયું હતું. આનંદનગર કોલોનીમાં રહેતો નિમિત મુકેશભાઇ સાદરાણી (ઉ.વ.23) સોમવારે સાંજે નાનામવા રોડ પર આવેલી બેંકે ઇન્ટરવ્યૂ આપવા નીકળ્યો હતો. નિમિત નાનામવા રોડ પર અજમેરા શાસ્ત્રીનગર પાસે પહોંચ્યો હતો ત્યારે અચાનક જ ઢળી પડ્યો હતો અને બેભાન થઇ ગયો હતો, તેને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું.

ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બગસરાનો વતની નિમિત બે ભાઇમાં મોટો હતો. તે રાજકોટમાં રહી લક્ષ્મીવાડીમાં કાપડની દુકાનમાં નોકરી કરતો હતો. પરિવારના આધારસ્તંભ સમા યુવાન પુત્રના અચાનક મોતથી સાદરાણી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હાર્ટફેઇલથી યુવકનું મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે, ખોખડદળ નજીક મુકેશ પાર્કમાં રહેતા જેસ્મીન મુકેશભાઇ વઘાસિયા નામના 24 વર્ષના યુવકનું સોમવારેહાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. બીજા દિવસે 23 વર્ષના નિમિતનું હાર્ટફેઇલ થઇ ગયું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow