7-9 મે સુધીમાં બંગાળના અખાતમાં વાવાઝોડું સર્જાશે

7-9 મે સુધીમાં બંગાળના અખાતમાં વાવાઝોડું સર્જાશે

વરસાદી માહોલ હજુ આગામી કેટલાક દિવસ સુધી રહી શકે છે. હવામાન વિભાગે શુક્રવારે ચેતવણી જારી કરીને કહ્યું હતું કે સાતથી નવમી મે વચ્ચે બંગાળના અખાતમાં ચક્રવાતી તોફાન ત્રાટકી શકે છે. આ ચક્રવાતી તોફાન અથવા તો વાવાઝોડાને ‘મોકા’ નામ આપવામાં આવ્યું છે. આની અસર હેઠળ દેશના પૂર્વી ભાગોમાં વરસાદ થશે.

મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને પૂર્વી ઉત્તરપ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી હવામાન ખરાબ રહી શકે છે. દેશનાં દક્ષિણી રાજ્યો અને ઉત્તરનાં પહાડી રાજ્યોમાં પણ વરસાદ થઇ શકે છે. જમ્મુ- કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં કમોસમી હિમવર્ષા થવાની આગાહી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

હવામાનમાં પલટો આવ્યા બાદ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ વરસાદ થઇ શકે છે. આ ત્રણેય રાજ્યોના જુદા જુદા ભાગોમાં કરા પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેરળ, મહારાષ્ટ્ર અને તમિળનાડુમાં ભારે વરસાદના સંબંધમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. દેશના જુદા જુદા ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ પડી રહ્યો છે. આના કારણે પાકને પણ નુકસાન થઇ રહ્યું છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow