સિંહની તસવીરમાં દેશમાંથી રાજકોટના ફોટોગ્રાફરની પસંદગી

સિંહની તસવીરમાં દેશમાંથી રાજકોટના ફોટોગ્રાફરની પસંદગી

વિશ્વમાં ઘણી પ્રજાતિઓ લુપ્ત થવાની અણીએ છે તેવામાં એવી મોટી 5 પ્રજાતિ કે જે વિશ્વમાં મોટી અસર જન્માવી શકે છે તેના પર અર્થ અવેર નામની સંસ્થાએ ખાસ સંગ્રહગ્રંથ તૈયાર કર્યો હતો જેમાં વન્ય પ્રાણીઓના ખૂબ જ દુર્લભ હોય તેવા ફોટોને સ્થાન અપાયું છે. જે સંગ્રહગ્રંથમાં એશિયાટિક સિંહની ફોટોગ્રાફીમાં દેશમાંથી એકમાત્ર રાજકોટના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પિંકેશ તન્નાની તસવીરની પસંદગી કરી પ્રસિદ્ધિ કરાઈ છે. અર્થ અવેર નામની સંસ્થા ધ બિગ 5 નામનો સંગ્રહ ગ્રંથ તૈયાર કર્યો છે જેમાં સિંહ, વાઘ, હાથી, પોલર બેર(સફેદ રીંછ) અને ગોરીલા જેવી લુપ્તપ્રાય પ્રજાતિનો સમાવેશ કરાયો છે.

આ ગ્રંથમાં વિશ્વના શ્રેષ્ઠ 146 ફોટોગ્રાફરની શ્રેષ્ઠ કૃતિઓને પસંદ કરવામાં આવી છે. જેમાં એશિયાટિક લાયન માટે રાજકોટના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પિંકેશ તન્નાની સિંહબાળ અને સિંહણ વચ્ચેના પ્રેમની અદભુત તસવીરને સ્થાન મળ્યું છે. સમગ્ર ગ્રંથમાં એશિયાટિક લાયનની તસવીર પ્રસિદ્ધ થઈ હોય તેવા તેઓ ભારતના એકમાત્ર ફોટોગ્રાફર છે.

આ સિલેક્શન માટે સંસ્થાએ એન્ટ્રી મંગાવવાને બદલે પોતાની રીતે જ તમામ ફોટોગ્રાફરની તપાસ કરી તેમની શ્રેષ્ઠ કૃતિઓ આંકી હતી અને બાદમાં તસવીર માંગવામાં આવી હતી. ગુજરાતના શ્રેષ્ઠ ફોટોગ્રાફરની યાદીમાં તન્નાને માનવામા આવે છે કારણ કે તેમની તસવીરો વિશ્વની શ્રેષ્ઠ વાઈલ્ડ લાઈફ ચેનલ જેવી કે નેશનલ જિયોગ્રાફી, ડિસ્કવરી અને એનિમલ પ્લેનેટમાં ઝળકી ચૂકી છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow