મસાનો અકસીર ઈલાજ, લસણ સાથે કરો આ બે વસ્તુ મિક્સ, મસા થઇ જશે ગાયબ

મસાનો અકસીર ઈલાજ, લસણ સાથે કરો આ બે વસ્તુ મિક્સ, મસા થઇ જશે ગાયબ

આજે સુંદર દેખાવું કોને પસંદ નથી. આપણે ઘણીવાર આપણા ચહેરાની સુંદરતા વધારવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જો ચહેરા પર મસા નીકળે તો તેના કારણે ચહેરાની સુંદરતા પર તેની ખરાબ અસર પડે છે. સામાન્ય રીતે ત્વચામાં મેલાનિન હોવાને કારણે ચહેરા પર મોટા મસા નીકળે છે, તેથી ઘણા લોકોને જન્મ સમયથી જ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગતા હોવ તો આ માટે તમે ઘરમાં વપરાતા લસણનો ઉપયોગ કરી શકો છો, જો કે તેમાં તમારે કેટલીક વસ્તુઓ પણ મિક્સ કરવી પડશે, તો જ તમને લાભ મળશે.

લસણની મદદથી ગાયબ થઈ જશે મસા

‌‌લસણનો ઉપયોગ કરીને તમે ચહેરા અને ગરદન પર રહેલ મસાને દૂર કરી શકો છો. આ માટે લસણની છાલ ઉતારીને ત્રણ-ચાર કળીઓ અલગ કરી લો. પછી આ કળીઓને છરીની મદદથી નાના-નાના ટુકડામાં કાપી લો અને પછી તેને મસા પર મૂકો અને પાટો ચોંટાડો. તેને લગભગ 5 થી 6 કલાક સુધી આ રીતે રહેવા દો અને છેલ્લે સ્વચ્છ પાણીથી ફેસને ધોઈ લ્યો. જો રેગ્યુલર આ રીત અપનાવશે તો થોડા જ દિવસોમાં મસા ગાયબ થઈ જશે.

લસણ સાથે મિક્સ કરો આ 2 વસ્તુઓ

1. લસણ અને ડુંગળી
ચહેરા પરથી મસા દૂર કરવા માટે ડુંગળીને લસણ સાથે મિક્સ કરી શકાય છે. પહેલા બંનેને સારી રીતે ગ્રાઇન્ડ કરો અને પછી રસ નિચોવો. હવે તેને કોટનની મદદથી મસા પર લગાવીને લગભગ 20થી 30 મિનિટ રહેવા દો. છેલ્લે સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.

2. લસણ અને એરંડા ઓઈલ
લસણ અને એરંડાનું તેલ સામાન્ય રીતે વાળના વિકાસ અને વાળને મજબૂત કરવા માટે એરંડા તેલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો તમે તેનો ઉપયોગ લસણ સાથે કરશો તો હઠીલા મસા પણ અદૃશ્ય થઈ જશે. આ માટે લસણની 2થી 3 કળીઓ લો અને તેમાં એરંડા તેલના થોડા ટીપા મિક્સ કરો. રાત્રે સૂતી વખતે અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવો અને સવારે પાણીથી ધોઈ નાખો.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow