ડોલવણના પીઠાદરા પ્રાથમિક શાળામાં અંદરોઅંદર બાખડતાં બે પોલીસ કર્મીઓ સામે પોલીસ કર્મીએ જ ફરિયાદ નોંધાવી

ડોલવણના પીઠાદરા પ્રાથમિક શાળામાં અંદરોઅંદર બાખડતાં બે પોલીસ કર્મીઓ સામે પોલીસ કર્મીએ જ ફરિયાદ નોંધાવી

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પીઠાદરા પ્રાથમિક શાળાના રુમમાં બે પોલીસ જવાનો પાસ પરમીટ વગર કેફીપીણાનો નશો કરેલી હાલતમાં લવારા-બકવાસ કરતા મળી આવ્યાં હતા. આ અંગે તાપી જિલ્લા પોલીસ મથકમાં ફરજ બજાવતાં કર્મીએ ફરિયાદ નોંધાવી છે.

ડોલવણ પોલીસે જાણ કરી હતી
તાપી જિલ્લા પોલીસમાં ફરજ બજાવતાં ગીરીરાજસિંહ વનરાજસિંહ જાડેજા તારીખ 28.11.2022ના રોજ વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે અન્ય પોલીસ કર્મીઓ સાથે બંદોબસ્ત અર્થે આવ્યાં હતા. તેઓને પાટી ગામ, પાંચોલ ગામ, અંધાર વાડી દુર, પીઠાદરા ગામના સેક્ટર મોબાઈલ ઇન્ચાર્જ તરીકેની ફરજ સોંપવામાં આવી હતી. તેથી તેઓ તેમના સેક્ટરમાં આવતા પોલીંગ બુથો ઉપર ફરજ પરના પોલીસ કર્મચારી, હોમગાર્ડ તથા જી.આર.ડીના સભ્યોને ચેક કરતા હતા. તે દરમિયાન તેમને ડોલવણ પોલીસ સ્ટેશનથી જાણ કરાઈ હતી કે, પીઠાદરા ગામની પ્રાથમિક શાળામાં બે પોલીસ કર્મચારીઓ અંદરો અંદર ઝઘડો તકરાર કરે છે. તમે સેક્ટર મોબાઈલ સાથે જગ્યા પર પહોંચો તેવી વાત કરી હતી.

જેથી તેઓ સેક્ટર મોબાઈલ સાથે પીઠાદરા બુથ નં.1 તથા બુથ નં.2 ઉપર પહોંચ્યા હતા, એટલીવારમાં પો.સ.ઇ. આર.જી.વસાવા આવી જતાં અને ત્યાં બુથ પરના પોલીસ માણસોને ચેક કરતાં પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ સતુભા ગોહિલ(નોકરી. મેઘાણીનગર, પોલીસ સ્ટેશન, અમદાવાદ) તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર શ્યામરાવ કુંવર(નોકરી એરપોર્ટ પોલીસ સ્ટેશન, અમદાવાદ) કોઈ કેફીપીણું પીધેલી હાલતમાં પ્રાથમિક શાળાના રુમમાં લવારા બકવાસ કરતાં મળી આવ્યા હતા.

તોતડાતી જીભે પોતાનું નામ કબુલ્યું​​​​​​​
જેથી બે પંચોના માણસોને બોલાવી રુબરુ ઇસમનું નામઠામ પુછતાં તેણે તોતડાતી જીભે પોતાનું નામ પોલીસ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ સતુભા ગોહિલ જણાવ્યું હતું. તેમજ તેની સાથેના બીજાને પણ નામઠામ પૂછતાં તેણે તોતડાતી જીભે પોતાનું નામ પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર શ્યામરાવ કુંવર હોવાનું જણાવ્યું હતુ.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow