મુંબઇના વેપારીએ 14 લાખનું જીરું ખરીદી 4 લાખ આપી ઠગાઇ કરી

મુંબઇના વેપારીએ 14 લાખનું જીરું ખરીદી 4 લાખ આપી ઠગાઇ કરી

વિશ્વાસ ઉપર ઉધારીમાં વેપાર ધંધા કરતા વેપારીઓને માલ વેચ્યા બાદ નાણાં નહિ મળવાથી કડવા અનુભવ થતા હોવાના અનેક બનાવો પ્રકાશમાં આવે છે. વધુ એક બનાવમાં સાધુવાસવાણી રોડ, નંદપરિસર એપાર્ટમેન્ટમાં રહેતા અને બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેત ઉત્પાદિત જણસની લે-વેચ કરતા ભાવેશભાઇ જેરામભાઇ ભીમાણી નામના વેપારીએ મુંબઇના પવઇ ખાતે રહેતા અને યુનિવર્સલ એન્ટરપ્રાઇઝના નામથી વેપાર કરતા ચેતન લક્ષ્મણ ખાંભલા નામના વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

વેપારીની ફરિયાદ મુજબ, મુંબઇના વેપારી ચેતન ખાંભલાએ અમદાવાદના દલાલ ભાવિનભાઇ રૂપારેલિયાના કહેવાથી મુંબઇના વેપારીને ગત વર્ષના મે મહિનામાં રૂ.14.21 લાખની કિંમતનું આઠ ટન જીરું મોકલ્યું હતુ. બે અલગ અલગ ટ્રક મારફતે જીરુંનો જથ્થો મોકલ્યા બાદ ત્રણ દિવસમાં નાણાં ચૂકવી આપવાનું નક્કી થયું હતું. જેથી ચેતન ખાંભલાએ પોતાને બે તબક્કે રૂ.4 લાખ ચૂકવ્યા હતા. જ્યારે બાકીના રૂ.10.21 લાખની રકમ માટે મુંબઇના વેપારી ચેતન ખાંભલાને ફોન કરી ઉઘરાણી કરી હતી. જેથી તેને બે દિવસમાં ચૂકવી આપવા જણાવ્યું છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow