જેતપુરમાં BCAની વિદ્યાર્થિનીને હાર્ટ-એટેક આવ્યો

જેતપુરમાં BCAની વિદ્યાર્થિનીને હાર્ટ-એટેક આવ્યો

જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ-એટેકને કારણે મોત થયું છે. સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હોસ્ટેલમાં હાર્ટ-એટેક આવતાં અચાનક મોત નીપજ્યું છે. તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યો
જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના રહેવાસી કશીશ સતીષભાઈ પીપળવા (ઉં.વ.18) કન્યા કેળવણી મંડળમાં BCAમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીનો પરિવાર જામકંડોરણા તાલુકાના જામદાદર ગામમાં રહે છે. કશીશ હાલ જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી. તે આજે હોસ્ટેલમાં અચાનક જ ઢળી પડી હતી. તે બેભાન થઈ જતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ કશીશને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે પ્રાથમિક તપાસ અનુસાર હાર્ટ-એટેકને કારણે મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.

Read more

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થી કાર્યકરોએ Ph.D. પ્રવેશ પરીક્ષાની જાહેરાત 15 દિવસમાં નહીં થાય તો RSSના કાર્યક્રમના વિરોધની ચીમકી આપી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આજે NSUIના કાર્યકર્તાઓએ જોરદાર હલ્લાબોલ કર્યો હતો. 'GCAS એટલે કંકાસ'ના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમા

By Gujaratnow
રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ 5 મહિના બાદ સૌરાષ્ટ્ર ઝોનના FRC ચેરમેનની નિમણૂંક

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતી (FRC)ના ચેરમેનની છેલ્લા 5 માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણુ

By Gujaratnow