પ્રાંતિજના વાઘપુરમાં સાંસદ દીપસિંહ રાઠોડના ઘરમાંથી 8.70 લાખની ચોરી

પ્રાંતિજના વાઘપુરમાં સાંસદ દીપસિંહ રાઠોડના ઘરમાંથી 8.70 લાખની ચોરી

સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દીપસિંહ રાઠોડ અમેરિકા ફરવા ગયાની તસ્કરોને ભનક લાગી જતાં પ્રાંતિજના વાઘપુર સ્થિત નિવાસી શાળા સંકુલમાં સાંસદના ઘરમાં ત્રાટકીને 6 કિલો ચાંદી 7 તોલા સોનાના દાગીના અને 1 લાખ જેટલી રોકડ મળી કુલ રૂ.8.70 લાખની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ગામમાં રહેતા તેમના પુત્ર ત્રણેક દિવસ બાદ નિવાસી શાળા સંકુલમાં આવતા તૂટેલા તાળાં પર નજર પડતાં ચોરીની ખબર પડી હતી. જો કે શિક્ષકોને આ મામલે કંઈ ખબર ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. વાવાઝોડામાં સીસીટીવી સિસ્ટમને નુકસાન થતાં કેમેરા બંધ હોવાનું પોલીસ જણાવી રહી છે.

સાંસદ અમેરિકાના પ્રવાસે ગયા હતા
પ્રાંતિજના ભાગપુરમાં રહેતા રણજીતસિંહ દીપસિંહ રાઠોડ વાઘપુરમાં આવેલ નિવાસ શાળામાં ટ્રસ્ટી છે તેમના પિતા અને સાંસદ દીપસિંહ શંકરસિંહ રાઠોડ જે નિવાસ શાળામાં બનાવેલ મકાનમાં રહે છે. તા.12-04-23 ના રોજ સાંસદ અમેરિકાના પ્રવાસે ગયા હતા. રણજીતસિંહ રાઠોડના જણાવ્યા અનુસાર તા.17-04-23 ના રોજ ભાગપુરમાં હવન રાખેલ હોય ચીજવસ્તુ લેવા તેમના પિતાના મકાનનો દરવાજો ખોલ્યો હતો અને ત્યારબાદ તા. 20-04-23 ના રોજ રણજીતસિંહ રાઠોડ બપોરે બારેક વાગ્યાના સુમારે નિવાસ શાળામાં આવતા તેમના પિતાના ઘરના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું જેથી અંદર તપાસ કરતાં બધો સામાન વેરવિખેર અને લોખંડની તિજોરીઓ ખુલ્લી જોવા મળી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow