દેશમાં 33% યુવાનો નથી ભણતા

દેશમાં 33% યુવાનો નથી ભણતા

માંડ 29 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતું ભારત, દુનિયામાં સૌથી ઓછી સરેરાશ ઉંમર ધરાવે છે. જોકે, ચિંતા એ વાતની છે કે દેશના 15થી 29 વર્ષની વયના 32.9% યુવાનો ના તો ભણે છે, ના તો કોઈ કામધંધો. એટલું જ નહીં, તેઓ કોઈ જ પ્રકારની તાલીમ પણ નથી લઈ રહ્યા.નેશનલ સેમ્પલ સરવે ઓફિસ (એનએસએસઓ)ના આ મહિને જાહેર કરાયેલા રિપોર્ટમાં આ આંકડા સામે આવ્યા છે.

એનએસએસઓએ તમામ રાજ્યના કુલ 2.9 લાખ પરિવાર પર જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2021 વચ્ચે આ સરવે કર્યો હતો.દેશમાં બેકાર યુવાનોમાંથી 20.3% યુવાનો તો કામ શોધતા પણ નથી. 69.8% ઘરેલુ કામ કરે છે, જ્યારે 1.5% યુવાનો આરોગ્યના કારણે કામ કરવા યોગ્ય જ નથી અને 2.3% બસ એમ જ સમય બરબાદ કરી રહ્યા છે.જો કમ્પ્યુટરના જ્ઞાનની વાત કરીએ તો 15થી 29 વર્ષની ઉંમરના 61.6% યુવાનોને તો કોપી-પેસ્ટ કરતા પણ નથી આવડતું. જો કોઈ એટેચમેન્ટ સાથે ઈ-મેલ મોકલવો હોય તોપણ 73.3% યુવાનોને તે અશક્ય લાગે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow