દવાઓની 300 ટોપ બ્રાન્ડ પર આગામી વર્ષે બારકોડ લાગશે

દવાઓની 300 ટોપ બ્રાન્ડ પર આગામી વર્ષે બારકોડ લાગશે

કેન્દ્ર સરકારે દવાની ગુણવત્તા અને સાચી દવા ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા મોટો નિર્ણય કર્યો હતો. હવે દવાઓ અને ઈન્જેક્શનના પેકિંગ પર બારકોડ લગાવાશે. આ વ્યવસ્થા આગામી વર્ષે 1 ઓગસ્ટથી લાગુ કરવાની તૈયારી છે.

પ્રથમ તબક્કે દેશમાં વેચાતી દવાઓની 300 ટોપ બ્રાન્ડ પર બારકોડ લગાવાશે. બારકોડ લગાવવાથી કોઈપણ વ્યક્તિ દવા ખરીદતા મોબાઈલ ફોનથી યુનિક બારકોડ સ્કેન કરીને તે અસલી છે કે નકલી તથા રેપર પર કરાયેલા દાવાઓની ઓળખ કરી શકશે.

બારકોડ સ્કેન કરતા જ ફોન પર દવાની બ્રાન્ડનું નામ, નિર્માતા કંપની, તેનું સરનામું, બેચ નંબર, મેન્યુફેક્ચરિંગ અને એક્સપાયરી ડેટ, કંપનીનું લાઈસન્સ નંબર તથા દવાની કિંમત આવી જશે. દવા કે ઈન્જેક્શનની દરેક સ્ટ્રીપ પર 14 ડિજિટવાળો યુનિક કોડ હશે. દરેક કંપની અને દરેક દવાની સ્ટ્રિપનો અલગ કોડ હશે.

પ્રથમ તબક્કે દેશની 53 ટોચની કંપનીઓની દવા અને તેના કોમ્બિનેશન પર બારકોડ લાગુ કરાશે. તેનાથી 35થી 40% દવાઅો પર બારકોડ લાગી જશે. દેશમાં આયાત-નિકાસ મિલાવીને આશરે 3 લાખ કરોડ રૂ.નો દવાનો બિઝનેસ છે. પૂર્વ કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સૂદને કહ્યું કે આ નિર્ણયથી સબ સ્ટાન્ડર્ડ દવા પર પણ રોક લાગશે.

આ દવાઓ પર બારકોડ લગાવાશે એસિલોક,એવોમાઈન, અઝિથ્રલ, બિટાિડન, બીકાસૂલ, કાલપોલ, કોવાડેક્સ, ડેક્સોના, ડોલો 650, ડાયનાપાર એક્યૂ, ઇકોસ્પ્રિન એવી, ફેબીફ્લૂ, ગ્રિલિંક્ટસ, કોરેક્સ ડીએક્સ, મેફટાલ સ્પાસ, મોનોસેફ ઈન્જેક્શન, મોન્ટેયર એલસી, પેન્ટોસિડ, રેનટેક, સુમો, ટેક્સિમ ઓ, ટેલમા, અલ્ટ્રાસેટ, ઝિફી સહિત કુલ 300 દવા આ યાદીમાં સામેલ છે. ઉલ્લેખનીય છે કે યુરોપિયન દેશો ઉપરાંત બ્રાઝિલ અને તૂર્કી જેવા દેશોમાં દવા પર બારકોડની વ્યવસ્થા છે. અમેરિકામાં આશરે 2 વર્ષ પહેલા બારકોડ વ્યવસ્થા લાગુ થઈ હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow