ગિરનાર પર ગુરુ દત્તાત્રેય શિખરને લઇ 2 જૈન શ્રાવકનો કોર્ટમાં દાવો

ગિરનાર પર ગુરુ દત્તાત્રેય શિખરને લઇ 2 જૈન શ્રાવકનો કોર્ટમાં દાવો

જૂનાગઢમાં ગિરનાર પર્વત પર આવેલા ગુરુ દત્તાત્રેયના શિખર પર રાજસ્થાન અને મધ્યપ્રદેશનાં 2 જૈન શ્રાવકે 15 ઓગસ્ટ 1947 બાદ થયેલા બાંધકામ દૂર કરવા આદેશ આપવાની માગણી કરતો દાવો જૂનાગઢની કોર્ટમાં કર્યો છે. આ અંગેની પ્રસિદ્ધ થયેલી નોટિસને પગલે આગામી દિવસોમાં આ વિવાદ વકરવાની ભીતિ સર્જાઇ છે. રાજસ્થાનના અલ્વરના ખીલીમલ મહાવીરપ્રસાદ જૈન (ઉ.73) અને મધ્યપ્રદેશનાં ગ્વાલિયરના સુભાષચંદ્ર કપુરચંદ જૈન (ઉ.58) એ પોતાના વકીલ મારફત જૂનાગઢના મુખ્ય સિનિયર સિવીલ જજની કોર્ટમાં એક દાવો દાખલ કર્યો છે. જેમાં ગુજરાત સરકારને સામાવાળા તરીકે રાખ્યા છે.

આ અંગેની નોટિસ અખબારમાં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ નોટિસમાં ગુરુ દત્તાત્રેયના શિખરને પાંચમી ટૂંક તરીકે ઓળખાવી તેના પર 22મા તીર્થંકર નેમિનાથજીના દર્શન અને પૂજામાં અડચણ અટકાયત ન કરે, તેમના પગલાંમાં કોઇ ફેરફાર ન કરે, પ્લાસ્ટરથી ચોંટાડેલ ભગવાન નેમિનાથની પ્રતિમામાં કોઇ ફેરફાર કે અડચણ ન કરે એવી માગણી કરાઇ છે. તા. 15 ઓગસ્ટ 1947 બાદ કરવામાં આવેલું બાંધકામ દૂર કરી એ તારીખની સ્થિતિએ પુન:સ્થાપિત કરવામાં આજ્ઞાત્મક મનાઇ હુકમ કરવામાં આવે. આ દાવામાં રસ અને હિત ધરાવતા કોઇપણ વ્યક્તિ, સંસ્થા કે કોઇને વાંધો તકરાર હોય તો દાવામાં પક્ષકાર તરીકે જોડવા તા. 8 ડિસે. 2022ના રોજ સવારે 10:30 વાગ્યે હાજર રહેવા જણાવાયું છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow