રાજકોટ જિલ્લામાં 13 ચેકડેમ અને 109 તળાવ ઉંડા ઉતારાશે

રાજકોટ જિલ્લામાં 13 ચેકડેમ અને 109 તળાવ ઉંડા ઉતારાશે

રાજકોટ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા તાલુકામાં તળાવ ઊંડા ઉતારવા તેમજ ચેકડેમમાંથી કાંપ કાઢવાની કામગીરી શરૂ કરાઈ છે જેમાં હાલ કુલ 122 કામો શરૂ કરવામાં આવ્યા છે. ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવાની હોય હાલ ગ્રામ વિસ્તારોમાં તળાવો અને ચેકડેમ ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા ઉતારવા, ચેકડેમમાંથી કાંપ કાઢવો, ચેકડેમ ઉંડા ઉતરવા સહિતના કામો કરવામાં આવે છે. જળસંચયનો વ્યાપ વધારવા, ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવા સહિતના હેતુ સાથે આ યોજના શરૂ કરવામાં આવી હતી. રાજકોટમાં 3 ચેકડેમ અને 5 તળાવ ઉંડા ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પડધરીમાં 6 તળાવ, ધોરાજીમાં 5 તળાવ, જામકંડોરણામાં 3 તળાવ, જસદણમાં 7 ચેકડેમ અને 42 તળાવ, વીંછિયામાં 3 ચેકડેમ અને 33 તળાવ, ગોંડલમાં 8 જ્યારે જેતપુરમાં 4 તળાવ ઊંડા ઉતારાશે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow