રાજકોટ જિલ્લાની 11 ઇમારત રક્ષિત સ્મારકની યાદીમાં

રાજકોટ જિલ્લાની 11 ઇમારત રક્ષિત સ્મારકની યાદીમાં

ભારત સહિત સમગ્ર વિશ્વમાં તા.18 એપ્રિલને “વર્લ્ડ હેરિટેજ ડે’ તરીકે મનાવવામાં આવે છે. 100 વર્ષથી વધુ જૂની ઈમારતોને રક્ષિત સ્મારકો ગણવામાં આવે છે. ત્યારે રાજકોટ જિલ્લામાં આવા 11 રક્ષિત સ્મારકો આવેલા છે અને સમગ્ર સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં કુલ 197 રક્ષિત સ્મારકો આવેલા છે. આ સ્મારકોની જાળવણી અને તેનું રક્ષણ કરવા માટે આજના દિવસે ખાસ સંકલ્પ લેવામાં આવે છે.

યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા સૌથી પહેલાં 1983માં ઉજવણીની શરૂઆત થઇ હતી. ત્યારબાદ દર વર્ષે અનેક વિષયોને અનુલક્ષીને આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્લ્ડ હેરિટેજ ડે દર વર્ષે જુદી જુદી થીમ ઉપર ઉજવાય છે. વર્ષ 2023ની થીમ “વર્કિંગ ઓન ધ ફ્યુચર” રાખવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં સુપેડીના મંદિરો, ખંભાલિડાની ગુફાઓ વગેરેનો સમવેશ થાય છે. જ્યારે રાજકોટ શહેરમાં ઐતિહાસિક સ્મારકોમાં કબા ગાંધીનો ડેલો, જ્યાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો તે આલ્ફ્રેડ હાઈસ્કુલ, જામટાવર, બેડી નાકા ટાવર, રૈયાનાકા ટાવર સહિતના રાજશાહી સમયના ટાવરોનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં આવેલા દરબારગઢના મ્યુઝિયમની કાયાપલટ થઇ રહી છે. રાજ્યમાં પાટણની રાણકી વાવ, ચાંપાનેર અને ધોળાવીરા એ ત્રણ વિશ્વ કક્ષાના હેરિટેજ પ્રવાસન સ્થળો છે.

રાજકોટના વિવિધ રક્ષિત અને સાંસ્કૃતિક સ્મારકોના રખરખાવ માટે 1984થી કાર્યરત સંસ્થાનું નામ છે ઈન્ટેક. જે મુખ્યત્વે વારસામાં મળેલા ધરોહરોનું સંરક્ષણ, સંચાલન, તે અંગેનું શિક્ષણ અને જાગૃતિ હિમાયત વગેરે પ્રવૃત્તિ કરે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિ અને ધરોહરોનું સંવર્ધન કરી તેના સંશોધકીય દસ્તાવેજીકરણ સાથે ધરોહરની સાચવણી અંગે તાલીમ વગેરે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow