ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 10-10 કેસ આવ્યા

ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના 10-10 કેસ આવ્યા

મચ્છરજન્ય રોગની સિઝનમાં રાજકોટ શહેરમાં સામાન્ય રીતે સૌથી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાય છે ત્યારબાદ મલેરિયા અને બાદમાં ઘણા ઓછા કેસ ચિકનગુનિયાના નોંધાતા હોય છે. જોકે આ વખતે ડેન્ગ્યુ જેટલા જ ચિકનગુનિયાના કેસ આવી રહ્યા છે. આ વખતે ચિકનગુનિયા વકરશે તેવી તો સ્થિતિ ઊભી થઈ છે કે કેમ તે અંગે આરોગ્ય અધિકારીને પ્રશ્ન કરાતા તેઓએ જણાવ્યું હતું કે, હવે મનપા જ સામેથી ટેસ્ટ કરી રહી છે એટલે કેસ વધ્યા છે.

આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીએ જણાવ્યું છે કે, ‘વોર્ડ દીઠ એક વોટ્સએપ ગ્રૂપ બનાવાયું છે. આ ગ્રૂપમાં વોર્ડના મહત્તમ જનરલ પ્રેક્ટિશનર આવરી લેવાયા છે. આ તમામને જણાવાયું છે કે, તેમને ત્યાં જે પણ દર્દીઓ આવે છે તેમનામાં તાવની સાથે સાથે સાંધાના દુખાવાની સમસ્યા હોય અથવા તો મચ્છરજન્ય રોગની શંકા હોય તો તુરંત જ વિગતો આપવામાં આવે. જે વિગતોને આધારે સૌથી પહેલા સ્ટાફ જે તે દર્દીના ઘરે જઈને એન્ટિ લારવા એક્ટિવિટી કરે છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow