ઈમરાન ખાનની પાર્ટી તોડવા ઝરદારીના લાહોરમાં ધામા

ઈમરાન ખાનની પાર્ટી તોડવા ઝરદારીના લાહોરમાં ધામા

પાકિસ્તાનમાં આગામી મહિનાઓમાં હવામાનની સાથેસાથે રાજકીય પારો પણ ચરમ પર પહોંચી જશે. પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ(પીટીઆઈ) પાર્ટીના વડા ઈમરાન ખાને તેમની પાર્ટીના શાસન હેઠળનાં રાજ્યોમાં વિધાનસભા ભંગ કરવાનો નિર્ણય કર્યો છે.

ઈમરાન સરકાર સમક્ષ સામાન્ય ચૂંટણી યોજવા સતત માગ કરી રહ્યા છે. તેમણે બુધવારે નિર્ણય કર્યો કે સૌથી પહેલા પંજાબ વિધાનસભા ભંગ કરીશું. બીજા તબક્કામાં ખૈબર પખ્તૂનખ્વાની વિધાનસભા ભંગ કરાશે. તેના પછી પણ સરકાર નહીં માને તો પીટીઆઈના સાંસદો પણ રાજીનામાં આપશે. ઈમરાનનો આ દાવ અત્યાર સુધીનો સૌથી શક્તિશાળી પ્રહાર સાબિત થઇ શકે છે. જોકે તેમના માટે આ રાજકીય નિર્ણયને લાગુ કરવો તલવારની ધાર પર ચાલવા સમાન રહેશે.

સત્તારુઢ પીએમએલ-એનએ ઈમરાનના સહયોગી પક્ષોનો સંપર્ક કર્યો છે. પંજાબમાં પીટીઆઈ પીએમએલ-ક્યૂ સાથે સરકારમાં સાથીદાર છે. પીએમએલ-એનએ તેમને ઈમરાનનો સાથ છોડી પોતાની સાથે જોડાઈ જવાની ઓફર કરી છે.

પીટીઆઈના સાંસદોનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. જોડ-તોડના માસ્ટર કહેવાતા પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ ઝરદારી લાહોર પહોંચી ગયા છે. તેમને ઈમરાનના સહયોગીઓને તોડવાનું ટાસ્ક અપાયું છે. રાજકીય નિષ્ણાત નજમ સેઠીએ કહ્યું કે ઈમરાન તેમનાં તમામ રાજકીય કાર્ડ રમી ચૂક્યા છે. આ કાર્ડ(વિધાનસભા ભંગ કરવી) ચાલી જશે તો ગેમચેન્જર સાબિત થશે. પણ આ નિર્ણયને લાગુ કરતા પહેલાં ઈમરાને અનેકવાર વિચારવું પડશે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow