ધોરાજીમાં વાહનો ખોટી રીતે ડિટેન કરાતાં ઝાંઝમેર બંધ

ધોરાજીમાં વાહનો ખોટી રીતે ડિટેન કરાતાં ઝાંઝમેર બંધ

ધોરાજી પોલીસની કારણ વગરની કનડગત અને ઘોંચપરોણાના લીધે વિરોધમાં ઝાંઝમેર ગામના લોકોએ અગાઉ કરેલી જાહેરાત મુજબ જ સ્વયંભૂ બંધ પાડ્યો હતો અને મામલો ગરમાય અને નાના મોટા કોઇ છમકલાં થાય તે પહેલાં જ જેતપુર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઝાંઝમેર દોડી ગયો હતો અને દરમિયાનગીરી કરી સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

ઝાંઝમેર ગામે પોલીસ દ્વારા ખોટી કનડગત ચાલુ કરીને નબળા તેમજ મધ્યમ વર્ગના લોકોના વાહનો ટ્રાફિકમાં નડતરરૂપ ન હોવા છતાં ડિટેઇન કરીને કરાતી હેરાનગતિ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ, ધોરાજી પોલીસ સામે લાગતા વળગતા સત્તાધીશોને રજૂઆત કરવાનું નક્કી કર્યા બાદ ધારાસભ્યને લેખિત રજૂઆત કરી હતી અને સરપંચ સાથે મળી ગામ બંધ રાખવાનું એલાન અપાયું હતું અને તેનો શુક્રવારે ગામલોકોએ અમલ કર્યો હતો. જો કે લોકોનો આક્રોશ જોઇ ડીવાયએસપી સહિતનો કાફલો દોડી ગયો હતો અને લોકોની રજૂઆતને શાંતિથી સાંભળી હતી અને મામલો થાળે પાડ્યો હતો.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow