નવાઈ લાગશે.! તમામ ફાયદાઓથી ભરપૂર છાશ ઘણા માટે બની શકે છે મીઠું પોઇઝન, આ લોકો ખાસ ચેતે

ઉનાળો શરૂ થઈ ગયો છે. બપોરના તાપમાં રાહત મેળવવા માટે લોકો વિવિધ વસ્તુઓ પીવે છે. છાશ આમાંની એક વસ્તુ છે.

છાશ માત્ર દહીંમાંથી જ બને છે. આવશ્યક ખનિજો, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન B12 અને ફોસ્ફરસ છાશમાં જોવા મળે છે. તેમાં સારા બેક્ટેરિયા અને લેક્ટિક એસિડ પણ હોય છે જે પેટ માટે સારું માનવામાં આવે છે.

જો કે તમને જાણીને નવાઈ લાગશે કે તમામ ફાયદાઓથી ભરપૂર છાશ ઘણા લોકો માટે ખતરનાક સાબિત થાય છે.

એવી ઘણી બીમારીઓ અને સમસ્યાઓ છે જેમાં છાશ પીવાથી તમારી સમસ્યાઓ વધી શકે છે. એટલે કે તેના ફાયદા છે તો કેટલાક લોકો માટે તેના ગેરફાયદા પણ છે. આવો જાણીએ ક્યા લોકોએ છાશ ન પીવી જોઈએ.

આ રોગથી પીડિત લોકોએ છાશ ન પીવી જોઈએ
તાવ
છાશ ઠંડકની અસર કરે છે. તાવમાં ઠંડી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. તેથી તાવ આવે ત્યારે છાશનું સેવન ન કરવું જોઈએ.
ત્વચા સંબંધિત રોગોમા
એવું કહેવામાં આવે છે કે ત્વચા સંબંધિત રોગોના કિસ્સામાં છાશનું સેવન ન કરવું જોઈએ. છાશમાં ઘણા પ્રકારના એસિડ હોય છે, જે ત્વચાને લગતી સમસ્યાઓ વધારી શકે છે.
હૃદયરોગ
છાશમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોય છે અને તેને પીવાથી હૃદયના દર્દીઓમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. હૃદયના દર્દીઓએ છાશ પીવાનું ટાળવું જોઈએ.
શરદી અને ઉધરસ
ગરમ અસરવાળી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેથી શરદી અને ઉધરસની સ્થિતિમાં છાશનું સેવન ન કરવું જોઈએ.
સાંધાના દુખાવા
સાંધાના દુખાવા, સંધિવા, સ્નાયુના દુખાવાથી પીડાતા લોકોએ ભૂલથી પણ છાશ ન પીવી જોઈએ. છાશ પીવાથી આ સમસ્યાઓ વધે છે.