યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

યુવા સેના ટ્રસ્ટે 23 હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની સારવાર આપી

તા.8 સપ્ટેમ્બરના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ રૂપે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા માટેનું મુખ્ય હેતુ જનસમૂહમાં ફિઝિયોથેરાપી વિષયક જાગૃતિ ફેલાવવાનો છે. જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય તથા સક્રિય જીવનશૈલી તરફ આગળ વધી શકે.

આજના ફિઝિયોથેરાપી દિવસ નિમિત્તે શહેરની એક એવી સેવાકીય સંસ્થાની વાત કરીએ તો, 10 વર્ષ પૂર્વે શહેરમાં સામાજિક, ધાર્મિક તેમજ સેવાકીય પ્રવૃત્તિ કરવા યુવા સેના ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી.

સંસ્થા શરૂ કરવાની પ્રેરણા પ્રમુખ પ્રદ્યુમ્નસિંહ ઝાલાને તેના જ બાળપણમાંથી મળી હતી. જે તેણે નબળો સમય બાળપણમાં વિતાવ્યો હતો તેને લઈને વિચાર આવ્યો કે શહેરમાં હજુ ઘણા એવા જરૂરિયાતમંદ બાળકો તથા પરિવારો છે જેને મદદની ખૂબ જરૂર હોય છે.

સંસ્થા દ્વારા ચાલતું એવું જ એક સેવાકીય કાર્ય કે, શહેરમાં છેલ્લા 7 વર્ષથી દર બુધવારે સાંજે 4:30થી 6:30 દરમિયાન મહાકાલેશ્વર મંદિર, ગોંડલ રોડ ખાતે નિ:શુલ્ક ફિઝિયોથેરાપી સેવા કેન્દ્ર ચાલી રહ્યું છે. જેમાં દરેક રોગનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

આ કાર્યમાં દર બુધવારે 50થી 70 દર્દીઓ લાભ લે છે. જેમાં ખાસ કરીને કમરના દુખાવા, ગાદીની તકલીફ, સાઈટિકા, નસ દબાવી તેમજ ગરદનના, સ્નાયુના, હાથપગના, પેટના, માથાના દુખાવા તથા ફ્રેક્ચર પછીની ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow