યુક્રેન સામે ન લડવું પડે એટલે રશિયનો દેશ છોડી રહ્યા છે

યુક્રેન સામે ન લડવું પડે એટલે રશિયનો દેશ છોડી રહ્યા છે

યુક્રેન વિરુદ્ધ રશિયાના હુમલા 216મા દિવસે પણ યથાવત્ છે. આ દરમિયાન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુટિન દ્વારા એક સપ્તાહ પહેલાં અપાયેલા આદેશને પગલે રશિયામાં ખળભળાટ મચી ગયો છે. પુટિને 3 લાખ રિઝર્વ સૈનિકોને યુક્રેન મોકલવાનો આદેશ આપ્યો છે.

રશિયાના કાયદા અનુસાર દેશમાં રહેતા લોકોને યુદ્ધ દરમિયાન સરકાર સૈન્યમાં ભરતી કરી શકે છે. ભૂતકાળમાં સૈન્યમાં કામ કરી ચૂકેલા લોકોને પસંદ કરવામાં આવશે. આ આદેશ બાદ લોકોમાં ફફડાટ છે કે ક્યાંક તેમને પણ સરહદે મોકલી દેવાય નહીં એટલે તેઓ દેશ છોડી રહ્યા છે. તેમનું એમ પણ કહેવું છે કે અમે આ અંતહીન યુદ્ધમાં યુક્રેન વિરુદ્ધ લડવા માગતા નથી. આ કારણોસર લોકો પોતાની કાર કે અન્ય વાહનોમાં રશિયા છોડીને જ્યોર્જિયા જઈ રહ્યા છે.

પુટિનના નજીકના ગણાતા બિઝનેસમેન યેવગેની પ્રિગોઝિને જણાવ્યું હતું કે લોકો સૈન્યમાં જોડાતા ડરી રહ્યા છે. તેનો અર્થ એ છે કે યુક્રેન પર હુમલાના પુટિનના નિર્ણયને લોકોનું સમર્થન નથી. સાઇબેરિયામાં ગોળી વાગવાથી એક સૈનિકનું મોત થયું છે. તે તાજેતરમાં જ સૈન્યમાં જોડાયો હતો. એ પછી લોકો સૈન્યમાં જોડાતા ડરી રહ્યા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow