યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે હિમવર્ષા શરૂ

યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે હિમવર્ષા શરૂ

યુક્રેનમાં રશિયાના સૈન્યના હુમલા 267માં દિવસ પણ યથાવત્ રહ્યા. આ હુમલાથી બચવાની સાથે જ યુક્રેનના લોકો સામે વધુ એક પડકાર ઠંડીથી બચવાનો ઊભો થયો છે. કારણ કે રાજધાની કીવ સહિત અન્ય ક્ષેત્રોમાં વરસાદની સાથે હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે. જેના લીધે તાપમાન ગગડીને શૂન્યની નીચે આવી પહોંચી ગયું છે. આવનારા દિવસોમાં તકલીફ વધવાની જ છે કેમ કે રશિયાએ વીજપ્લાન્ટ બાદ હવે દેશના ગેસ સ્ટોરેજ પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવાની શરૂઆત કરી છે. જોકે તમામ મુશ્કેલીઓ છતાં રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની જેમ લોકોનો જુસ્સો બુલંદ છે કેમ કે રશિયાએ સતત પીછેહઠ કરવા મજબૂર થવું પડી રહ્યું છે.

લડાઈ શાંત થતી ન દેખાતા રાષ્ટ્રપતિ કાર્યાલયે દેશભરમાં બે મહિના પહેલા જ લોકોને કહી દીધું હતું કે હુમલાની સાથે ઠંડીનો મુકાબલો કરવા માટે ઘર અને આજુબાજુના ક્ષેત્રોમાં લાકડાં એકઠા કરી લો. જેથી જો વીજળીની સાથે ગેસ પણ ન મળે તો તાપણું તૈયાર કરી ઠંડીનો સામનો કરી શકો. યુરોપિયન દેશો અને અમેરિકાએ જનરેટર મોકલ્યા છે જેથી ઘર અને બંકરોને ગરમ રાખી શકાય. આવા જનરેટર સમગ્ર દેશમાં બનાવીને રખાઈ રહ્યા છે. ઠંડીથી બચવા જેકેટ, ધાબળા સહિત અન્ય ગરમ કપડાની પણ કોઈ અછત નથી. કીવથી લઈને બુચા સુધી ગરમ કપડાનો જથ્થો પહોંચાડી દેવાયો છે જેને વજન પ્રમાણે વેચવામાં આવી રહ્યા છે. હુમલા બાદ દેશમાં મોંઘવારી તો વધી છે તેમ છતાં ક્યાંય કોઈ વસ્તુની અછત નથી. બાળકો માટે મિલ્ક પાઉડરથી લઈને શાકભાજી, રેશન આરામથી ઉપલબ્ધ છે. યુક્રેન નજીકના પોલેન્ડ સહિત અન્ય યુરોપિયન દેશ મોટી માત્રામાં સતત મદદ મોકલી રહ્યા છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow