યુક્રેન પર 120 મિસાઇલો છોડી

યુક્રેન પર 120 મિસાઇલો છોડી

રશિયાએ ગુરુવારે યુક્રેન પર સમુદ્ર અને આકાશમાંથી તેનાં મુખ્ય શહેરો પર 120 મિસાઇલો છોડી. મિસાઇલના ધમાકા રાજધાની કીવ સહિત 7 શહેરોમાં સંભળાયા. હુમલામાં 14 વર્ષીય બાળકી સમેત 3 લોકોના ઘાયલ થવાની ખબર છે. તેની પહેલાં 15 નવેમ્બરે પણ રશિયાએ યુક્રેન પર 100 મિસાઇલો છોડી હતી. તેમાંથી 2 મિસાઇલો પોલેન્ડમાં પડી હતી.

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીના સલાહકાર માઇખાઇલો પોડોલિયાકે બતાવ્યું કે હુમાલો રહેણાક વિસ્તારોમાં કરવામાં આવ્યો. કેટલીય ઇમારતો તબાહ થઇ ગઇ છે. કીવ સિવાય લ્વીવ, ખાર્કિવ, માઇકોલિવ, ઓડેસા, પોલ્ટાવા અને જિટોમિર પણ ધમાકાના અવાજો સંભળાયા.

યુક્રેનમાં રેડ એલર્ટ, કામીકાજે ડ્રોનથી પણ હુમલા
યુક્રેનની એરફોર્સે કહ્યું- રશિયાએ અમારી ઉપર કેટલીય દિશાઓમાંથી હુમલા કર્યા. ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી છે. હુમલામાં કામીકાજે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુરુવાર સવારે યુક્રેનના કેટલાય શહેરોમાં રેડ એલર્ટ પણ સાંભળવા મળ્યું. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ અપીલ કરી છે કે જ્યાં સુધી રશિયા હવાઇ હુમલા બંધ નહીં કરે, તેઓ બંકરોમાં જ રહેશે.

લિવના 90% વિસ્તારોમાં વીજળી નથી લિવ શહેરના મેયર એન્ડ્રી સદોવીએ કહ્યું- 90% વિસ્તારોમાં વીજળી નથી. વોટર સપ્લાય સિસ્ટમ થપ થઇ ગઇ છે. મિસાઇલોએ જ્યાં ઇમારતોને નુકસાન પહોંચાડ્યું છે, ત્યાં સેંકડો લોકો કડકડતી ઠંડીમાં વગર વીજળીએ રહેવા મજબૂર છે. ખાર્કિવમાં પણ વીજળી સપ્લાય ઠપ થઇ ગઇ છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow