યુદ્ધમાં ફરજિયાત લડવા જવાના પુટિનના ફરમાનથી મોસ્કોમાં લોકો ઘરમાં છુપાયા

યુદ્ધમાં ફરજિયાત લડવા જવાના પુટિનના ફરમાનથી મોસ્કોમાં લોકો ઘરમાં છુપાયા

મોસ્કો | 1 કરોડ 20 લાખની વસ્તી ધરાવતું મોસ્કો ખાલી-ખાલી દેખાઈ રહ્યું છે. રેસ્ટોરન્ટમાં અગાઉની જેમ લોકો નથી દેખાઈ રહ્યા. દુકાનો ખાલીખમ પડી છે. રસ્તાઓ સૂમસામ થઈ ગયા છે. જે લોકો દેખાઈ પણ રહ્યા છે, તેમાં મહિલાઓ જ છે. પુરુષો તો જાણે ગાયબ જ થઈ ગયા છે. હકીકતમાં રશિયાના પાટનગરથી ગાયબ પુરુષો યુક્રેન સામેના યુદ્ધમાં ગયા છે. કેટલાકને ભય છે કે તેમને પણ યુદ્ધમાં મોકલી દેવામાં આવશે, તેથી તેઓ શહેર છોડીને જતા રહ્યા છે. રશિયાના અધિકારીઓનું માનવું છે કે 2 લાખ રશિયન કઝાકિસ્તાન નાસી ગયા છે, કારણ કે ત્યાં જવા માટે રશિયનને પાસપોર્ટની જરૂર નથી પડતી. ઉપરાંત જ્યોર્જિયા, અર્મેનિયા, અઝરબૈજાન, ઈઝરાયલ, અર્જેન્ટિના અને પશ્ચિમ યુરોપના દેશોમાં ઘણા બધા રશિયન પહોંચ્યા છે. સિલસિલો હજુંય યથાવત છે. પાટનગરના એક સલૂનની મેનેજર કહે છે કે અમારા અડધા ગ્રાહકોએ દેશ છોડી દીધો છે. પુરુષ વાળંદ પણ અહીંથી જતા રહ્યા છે. તેઓએ રાષ્ટ્રપતિ પુટિનના પુરુષોને યુદ્ધ પર મોકલવાના અભિયાનથી બચવા માટે દેશ છોડ્યો છે. જે રહી ગયા છે, તેઓને ભય છે કે જો તેઓ રસ્તા પર દેખાશે તો તેમને યુદ્ધમાં મોકલવાની નોટિસ આપી દેવામાં આવશે. મેટ્રો સ્ટેશનની બહાર પુરુષોના દસ્તાવેજો ચેક કરવામાં આવી રહ્યા છે. ઓલ્યાના બોયફ્રેન્ડે પણ દેશ છોડી દીધો છે. મોસ્કોમાં હાજર મહિલાઓ કહે છે કે તેમના પુરુષ સાથી દેશ છોડીને જતા રહ્યા છે. કેટલાક જવાની તૈયારીમાં લાગ્યા છે. તેમને ભય છે કે જો તેમની ઓળખ સાર્વજનિક થશે તો તેઓને પરિણામ ભોગવવું પડશે. રશિયનોના દેશ છોડવાની શરૂઆત તો યુક્રેન સાથે યુદ્ધ શરૂ થતા જ થઈ ગઈ હતી. જેલમાં મોકલવાના ડરથી એ પણ દેશ છોડીને જતા રહ્યા, જેઓએ યુદ્ધનો વિરોધ કર્યો હતો. દેશ છોડી રહેલા લોકોને એ પણ ભય છે કે જો માર્શલ લો લગાવી દેવામાં આવશે તો બોર્ડર સીલ કરી દેવામાં આવશે. તેઓ રશિયામાં જ ફસાઈ જશે. શુક્રવારે પુટિને જાહેાત કરી હતી કે 2 લાખ 20 હજાર લોકોને યુદ્ધ પર મોકલવા માટે તૈયાર કરાયા છે. 33 વર્ષિય ફોટોગ્રાફર સ્તાનિસ્લાવા કહે છે કે જાણે રશિયા ફક્ત મહિલાઓનો જ દેશ બની ગયો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow