આ દિવસે દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરો

આ દિવસે દેવી દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરો

ગુરુવાર એટલે કે માર્ચ 30ના રોજ ચૈત્રી નવરાત્રિની નોમ છે. આ દિવસે શ્રીરામનો પ્રગટ ઉત્સવ એટલે કે રામનવમી તરીકે પણ ઉજવવામાં આવે છે. નવરાત્રીના નવમી દિવસે દેવી દુર્ગાના નવમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા દેવી અને શ્રીરામના મંત્રોનો જાપ અને ધ્યાન કરવું જોઈએ.

ઉજ્જૈન જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ, નવરાત્રીના નવ દિવસ સુધી કરવામાં આવેલી પૂજા-અર્ચનાનું ફળ દેવી સિદ્ધિદાત્રી નોમની તિથિ પર આપે છે. નોમનાં દિવસે નાની કુમારિકાઓ ભોજન કરાવવવાની પણ પરંપરા છે. જમાડ્યા બાદ કન્યાઓની પૂજા કરવામાં આવે છે. છોકરીઓએ લાલ ચુનરી, દક્ષિણા આપવી જોઈએ આ સાથે જ શિક્ષણ સંબંધિત વસ્તુઓ દાન કરવું જોઈએ.

માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે. તેમનું વાહન સિંહ છે. માતા સિદ્ધિદાત્રીના ચાર હાથ છે. એક જમણા હાથમાં ગદા અને બીજા હાથમાં ચક્ર છે. એક ડાબા હાથમાં કમળ છે અને બીજા હાથમાં શંખ છે.

આ રીતે કરી શકો છો સિદ્ધિદાત્રીની પૂજા
આ દિવસે સ્વરે જલ્દી જાગો. સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં પૂજા કરવાનો સંકલ્પ લો. દેવી દુર્ગાના સિદ્ધિદાત્રી સ્વરૂપની પૂજા-અર્ચના કરો. સિદ્ધિદાત્રી દેવીનો પાણી અને પંચમૃતથી અભિષેક કરો. લાલ ચુનરી, બંગડીઓ, લાલ ફૂલો, કુમકુમ, સિંદૂર વગેરે જેવી વસ્તુઓ અર્પણ કરો. મોસમી ફળો, નાળિયેર, મીઠાઈઓનો ભોગ લગાવો. દેવી મંત્રોનો જાપ કરો અને ધ્યાન કરો.

'દું દુર્ગાયે નમઃ' મંત્રનો જાપ કરી શકે છે. રૂદ્રાક્ષની માળાની મદદથી મંત્રનો જાપ કરો. પૂજા કરનાર ભક્તે સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું પડશે.જાપ કરવા માટે એક સ્થળ પસંદ કરો, જ્યાં શાંતિ અને શુદ્ધતા હોય.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow