Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવાના કેસમાં મહિલાના જામીન રદ

Gujaratnow1 min read
હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવાના કેસમાં મહિલાના જામીન રદ

હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવાના ગુનામાં સંડોવાયેલી ડોલી બીરવાણી નામની મહિલા આરોપીએ જામીન પર છૂટવા કરેલી અરજીને સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર ભોગ બનનાર મહિલાએ તેને રોકેલા વકીલ સંજય પંડિત સાથે અણબનાવ બનતા તેને હટાવ્યા હતા. જેથી આરોપીએ ભોગ બનનાર મહિલાને દિનાબેન નામની મહિલાના પતિ વચ્ચે આડા સંબંધો હોવાનું બતાવી મહિલાના ચારિત્ર્યને નુકસાન થાય તેવા ઇરાદાથી અને આરોપી ગોકુલ સગપરિયાને ફાયદો થાય તે માટે પિટિશન દાખલ કરી દુષ્કર્મની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જેમાં આરોપીઓએ દિનાબેનના નામની ખોટી સહી સાથે સોગંદનામું પણ રજૂ કર્યુ હતું, પરંતુ આરોપીઓના કૌભાંડનો પર્દાફાશ થતા વકીલ સંજય પંડિત, ડોલી બીરવાણી, ગોકુલ સગપરિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદને પગલે આરોપીઓ પૈકી ડોલી બીરવાણીએ ધરપકડથી બચવા સેશન્સ, હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે નામંજૂર થતા પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કરી હતી. દરમિયાન જેલહવાલે થયેલી ડોલી બીરવાણીએ જામીન અરજી કરતા ફરિયાદ પક્ષે રોકાયેલા એડવોકેટ સુરેશ ફળદુ, સરકારી વકીલ સ્મિતાબેન અત્રીની દલિલ ધ્યાને લઇ અદાલતે ડોલીની જામીન અરજીને નામંજૂર કરી છે.

Gujaratnow1 min read

Related News