હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવાના કેસમાં મહિલાના જામીન રદ

હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવાના કેસમાં મહિલાના જામીન રદ

હાઇકોર્ટને ગેરમાર્ગે દોરવાના ગુનામાં સંડોવાયેલી ડોલી બીરવાણી નામની મહિલા આરોપીએ જામીન પર છૂટવા કરેલી અરજીને સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.દુષ્કર્મની ફરિયાદ નોંધાવનાર ભોગ બનનાર મહિલાએ તેને રોકેલા વકીલ સંજય પંડિત સાથે અણબનાવ બનતા તેને હટાવ્યા હતા. જેથી આરોપીએ ભોગ બનનાર મહિલાને દિનાબેન નામની મહિલાના પતિ વચ્ચે આડા સંબંધો હોવાનું બતાવી મહિલાના ચારિત્ર્યને નુકસાન થાય તેવા ઇરાદાથી અને આરોપી ગોકુલ સગપરિયાને ફાયદો થાય તે માટે પિટિશન દાખલ કરી દુષ્કર્મની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જેમાં આરોપીઓએ દિનાબેનના નામની ખોટી સહી સાથે સોગંદનામું પણ રજૂ કર્યુ હતું, પરંતુ આરોપીઓના કૌભાંડનો પર્દાફાશ થતા વકીલ સંજય પંડિત, ડોલી બીરવાણી, ગોકુલ સગપરિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદને પગલે આરોપીઓ પૈકી ડોલી બીરવાણીએ ધરપકડથી બચવા સેશન્સ, હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે નામંજૂર થતા પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કરી હતી. દરમિયાન જેલહવાલે થયેલી ડોલી બીરવાણીએ જામીન અરજી કરતા ફરિયાદ પક્ષે રોકાયેલા એડવોકેટ સુરેશ ફળદુ, સરકારી વકીલ સ્મિતાબેન અત્રીની દલિલ ધ્યાને લઇ અદાલતે ડોલીની જામીન અરજીને નામંજૂર કરી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow