હોમલોનનો EMI બે વર્ષમાં 20% વધતાં, બોજો વધ્યો

હોમલોનનો EMI બે વર્ષમાં 20% વધતાં, બોજો વધ્યો

બે વર્ષ પહેલા ફ્લોટિંગ રેટ પર હોમલોન લેનારા લોનધારકોના EMIમાં 20% સુધીનો વધારો થયો છે. વર્ષ 2021માં વ્યાજદરો નીચલા સ્તરે હતી. દરમિયાન RBIએ રેપોરેટમાં 2.5%નો વધારો કર્યો છે. જેને કારણે બેન્કોએ હોમલોનના વ્યાજદરોમાં પણ વધારો કર્યો છે. પ્રોપર્ટી કન્સલટન્ટ એનારૉકના રિપોર્ટ અનુસાર, વ્યાજદરો વધવાથી વર્ષ 2021માં 40 લાખ રૂપિયાથી ઓછી કિંમતના મકાન ખરીદનારા લોકો પર બોજ સૌથી વધુ વધ્યો છે.

એનારૉક ગ્રૂપના રીજનલ ડિરેક્ટર અને રિસર્ચ હેડ પ્રશાંત ઠાકુરે કહ્યું કે હોમલોનના EMIમાં શરૂઆતના વર્ષોમાં વધુ હિસ્સો વ્યાજનો હોય છે. મૂળ રકમની ચૂકવણી ઓછી હોવાથી ખરીદદારો પર લાંબા સમય સુધી દેવાનો બોજ રહે છે. બીજી તરફ સંપત્તિના વેચાણ પર તે ગુણોત્તરમાં વધારો મળતો નથી. ક્યારેક જરા પણ વધારો મળતો નથી. જો કે વ્યાજદરોમાં ઘટાડો થશે તો મોટા પાયે રાહત મળી શકે છે. મૂળ રકમથી પણ વધી વ્યાજની કુલ રકમ વધી છે.

વ્યાજદરો 6.7%થી વધીને 9.15% થયા- 21માં વાર્ષિક 6.7%ના ફ્લોટિંગ રેટ પર 20 વર્ષ માટે 30 લાખ રૂપિયાની હોમલોનનો વ્યાજદર હવે 9.15% થયો છે. જુલાઇ 2021માં તેનો EMI 22,721 રૂપિયા હતો. પરંતુ હવે તે EMI 27,782 રૂપિયા થઇ ગયો છે. દર મહિને હપ્તાનું ભારણ 4,561 રૂપિયા એટલે કે 20% વધી ગયું છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow