રાજકોટમાં શનિવારથી પવનનું જોર ઘટશે

રાજકોટમાં શનિવારથી પવનનું જોર ઘટશે

રાજકોટમાં બુધવારે પવનની ઝડપ 30થી 40 કિ.મી. રહી હતી. જો કે, સાંજે પવન બિલકુલ થંભી ગયો હોય તેમ વાતાવરણ શાંત થઈ ગયું હતું. દિવસ દરમિયાન બે-ત્રણ વાર માત્ર વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન ખાતાના અનુમાન મુજબ રાજકોટમાં વાવાઝોડાની અસર આજે ગુરુવારે બપોરે 2 વાગ્યા પછી દેખાશે.

જે રાત સુધી જળવાઈ રહેશે. વાવાઝોડાની અસરના ભાગરૂપે રાજકોટમાં 50થી 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને મધ્યમથી ભારે વરસાદ પડશે. મોરબીમાં પણ વરસાદ પડશે. વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજ રાત સુધી વાવાઝોડાની અસર રહેશે. શુક્રવારથી વાતાવરણ ચોખ્ખું થવાની શરૂઆત થઈ જશે, પરંતુ શનિવાર સુધી આંશિક વાદળો છવાયેલા રહે તેવી સંભાવના છે. ક્યાંક હળવા ઝાપટાં પડી શકે છે. તેવું અનુમાન છે.

વધુમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ વાવાઝોડાની દિશા પહેલા ઉત્તર- ઉત્તર પશ્ચિમની હતી. બુધવારે સાંજે ઉત્તર- પૂર્વની થઈ છે. વાવાઝોડું કચ્છના જખૌ બંદર પાસે લેન્ડ થવાની સંભાવના છે. વાવાઝોડાની અસર સૌથી વધુ જામનગર, કચ્છ અને દ્વારકામાં થશે. શુક્રવારે પવન- વરસાદ રહેશે પરંતુ તેનું પ્રમાણ ઘટી જશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર ત્રણ દિવસ પવનની ઝડપ સામાન્ય દિવસ કરતા થોડી વધારે રહેશે. આ ઉપરાંત પવનને કારણે તાપમાનમાં પણ ઘટાડો આવી શકે છે. રવિવાર સુધી મહત્તમ તાપમાન 38 ડિગ્રી સુધી જળવાઈ રહેશે. વાવાઝોડા અને ભારે પવનને કારણે લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર નહિ નીકળવા અને સાવધાની રાખવા માટે તાકીદ કરવામાં આવી છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow