અગાઉથી જ ખબર પડી જશે ક્યારે મરવાના છો? જાણો કેવી રીતે થઈ શકે મોતની આગાહી

અગાઉથી જ ખબર પડી જશે ક્યારે મરવાના છો? જાણો કેવી રીતે થઈ શકે મોતની આગાહી

હવે કોઈના મોતની આગાહી થઈ શકે તે દિવસો દૂર નથી અને દુનિયામાં આ દિશામાં એક મોટું કામ શરુ થઈ ચૂક્યું છે. સદીઓથી માનવને પોતાના મોતનો સમય જાણવામાં ભારે ઉત્સુકતા રહી છે જે હવે આગામી દિવસમાં પાર પડી શકે છે. વૈજ્ઞાનિકો પણ આ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘણા રિસર્ચમાં સામે આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને પહેલા જ તેના મોતની ખબર પડી જાય તો તે એવું કામ કરવા લાગે છે કે તે દુનિયાને બદલી શકે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા કોઇ પણ માનવીના મોતની આગાહી કરી શકાય છે. આ ટેસ્ટને ડેથ ટેસ્ટ કહેવામાં આવી રહ્યો છે.

શું છે ડેથ ટેસ્ટ?
ડેથ ટેસ્ટને સામાન્ય ભાષામાં એક પ્રકારનો લોહીનો ટેસ્ટ કહી શકાય. આ ટેસ્ટમાં કોઇ પણ વ્યક્તિના લોહીમાંથી બાયોમાર્કરની તપાસ કરવામાં આવશે. તેના પરથી નક્કી થશે કે તેનું મોત ક્યારે થઈ શકશે શું નજીકના ભવિષ્યમાં તેનું મોત થવાનું છે કે નહીં. આ ટેસ્ટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સૌથી મોટી ભૂમિકા રહેશે. જો કે આ સંશોધન હજુ પ્રારંભિક તબક્કામાં છે.

ડેથ ટેસ્ટ પર સંશોધન કોણ કરી રહ્યું છે?
યુકેની નોટિંગહામ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા ડેથ ટેસ્ટ પર રિસર્ચ કરાઈ રહ્યું છે. રિસર્ચમાં વૈજ્ઞાનિકોએ કેટલીક ખાસ પેટર્ન શોધી કાઢી હતી. આ મૃત્યુની આગાહી કરી શકે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ વિશિષ્ટ પેટર્ન મૃત્યુની આગાહી કરવામાં મદદ કરશે. આ રિસર્ચમાં 40થી 69 વર્ષના એક હજાર લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકો ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરથી પીડિત હતા.

આંખોથી પણ થઈ શકે મોતની આગાહી

એક રિસર્ચમાં એ વાત પણ સામે આવી હતી કે કોઇ પણ વ્યક્તિનું મોત પણ આંખોથી જાણી શકાય છે. જો કોઈ વ્યક્તિ હૃદયરોગમાંથી પસાર થઈ રહી હોય, તો અભ્યાસમાં એઆઈ રેટિનાને સ્કેન કરે છે અને મૃત્યુનો અંદાજિત સમય જણાવે છે. આંખોને જોઈને મનુષ્યનો જૈવિક યુગ ક્યારનોય જાણી શકાય છે.

ડેથ ટેસ્ટના અગાઉ પણ અખતરા થઈ ચૂક્યા છે
ઉલ્લેખનીય છે કે આ પહેલા પેન્સિલવેનિયાની હેલ્થકેર સિસ્ટમ ગીસિંગરે પણ આ અંગે અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં, એઆઈ દ્વારા ઇકોકાર્ડિયોગ્રામ વિડિઓઝ જોઈને મૃત્યુની જાણ કરવામાં આવી હતી. આ સાથે, મૃત્યુની જાણ એક વર્ષ અગાઉથી થઈ શકે છે. જો કે, આ અભ્યાસ અકાળે મૃત્યુના સંકેતોને સમજવા માટે કરવામાં આવ્યો છે. કુદરતી મોતને તેમાંથી બાકાત રખાયું હતું કારણ કે તે તો ગમે ત્યારે આવી શકે છે.

Read more

ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધને બચાવવા સાયબર ક્રાઈમનું LIVE રેસ્ક્યૂ

ડિજિટલ અરેસ્ટેડ વૃદ્ધને બચાવવા સાયબર ક્રાઈમનું LIVE રેસ્ક્યૂ

સુરતમાં પોતાના જ ઘરમાં 72 કલાક સુધી વીડિયો કોલ પર ‘ડિજિટલ અરેસ્ટ’માં રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને

By Gujaratnow
શિક્ષકોને રાત્રે BLOની કામગીરીને લઈ બોલાવતા શૈક્ષિક સંઘમાં રોષ

શિક્ષકોને રાત્રે BLOની કામગીરીને લઈ બોલાવતા શૈક્ષિક સંઘમાં રોષ

ગુજરાતમાં ચાલતી મતદાર યાદી સુધારણા SIRની અતિ મહત્વની કામગીરી માટે જૂનાગઢમાં રાત્રે સુપરવાઇઝર અને શિક્ષકોને બોલાવતા વિવાદ સર્જાયો છે. બુથ લેવલ ઓફિ

By Gujaratnow
દિલ્હી બ્લાસ્ટ: ડૉ. મુઝમ્મિલ ઘંટીમાં યુરિયા પીસતો હતો

દિલ્હી બ્લાસ્ટ: ડૉ. મુઝમ્મિલ ઘંટીમાં યુરિયા પીસતો હતો

દિલ્હી બ્લાસ્ટ કેસમાં ધરપકડ કરાયેલા ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડૉ. મુઝમ્મિલ ગનાઈ, ડૉ. શાહીન સઈદ, ડૉ. આદિલ અહેમદ રાથર

By Gujaratnow
સુંદર પિચાઈએ કહ્યું- દરેક વ્યવસાયમાં AIનો ઉપયોગ કરવાનું શીખવું જરૂરી; જે લોકો તેને અપનાવશે તેઓ અન્ય કરતા વધુ સારું કરશે

સુંદર પિચાઈએ કહ્યું- દરેક વ્યવસાયમાં AIનો ઉપયોગ કરવાનું શીખવું જરૂરી; જે લોકો તેને અપનાવશે તેઓ અન્ય કરતા વધુ સારું કરશે

ગુગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) માત્ર ઘણી નોકરીઓ જ નહીં, પરંતુ ભવિષ્યમાં મોટી કંપનીઓના સીઈઓનું સ્થાન પણ લઈ

By Gujaratnow