શું બદલાઈ જશે 'પઠાણ'ની રિલીઝ ડેટથી લઇને ભગવા બિકીની સીન? KRKએ કર્યો ચોંકાવનારો દાવો

શું બદલાઈ જશે 'પઠાણ'ની રિલીઝ ડેટથી લઇને ભગવા બિકીની સીન? KRKએ કર્યો ચોંકાવનારો દાવો

કેઆરકેએ પઠાણને લઇને કર્યો મોટો દાવો

શાહરૂખ ખાન 4 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યાં છે. વિવાદ હોવા છતા પ્રશંસકો કિંગ ખાનને મોટા પડદા પર જોવા માટે આતુર છે. પરંતુ ફિલ્મની રીલીઝ પહેલા કમાલ આર ખાન ઉર્ફે કેઆરકેએ પઠાણને લઇને મોટો દાવો કર્યો છે.

પઠાણને લઇને કેઆરકેએ શું કહ્યું?

શાહરૂખ ખાનના પ્રશંસકો જેટલી આતુરતાપૂર્વક ફિલ્મ પઠાણની રાહ જોઇ રહ્યાં છે. આ દરમ્યાન કેઆરકેએ દાવો કર્યો છે કે નિર્માતાએ પઠાણને પોસ્ટપોન્ડ કરવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં, કેઆરકેનો એવો પણ દાવો છે કે શાહરૂખની ફિલ્મનુ ટાઈટલ પઠાણ પણ બદલવામાં આવશે. કેઆરકેએ પોતાના ટ્વિટમાં લખ્યું, આ કન્ફર્મ છે કે પઠાણ ટાઈટલ હવે રહ્યું નથી. ઓરેન્જ બિકિની પણ રહેશે નહીં. નિર્માતાએ ફિલ્મની રીલીઝ તારીખને પોસ્ટપોન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર જાહેરાત આજે અથવા કાલે થઇ શકે છે.

આખરે કેઆરકેના દાવામાં કેટલી વાસ્તવિકતા છે?

કેઆરકેના દાવાએ શાહરૂખ ખાનના પ્રશંસકોને નિરાશ કરી દીધા છે. પરંતુ કેઆરકેના દાવામાં કેટલી હકીકત છે, તે કહેવુ મુશ્કેલ છે, કારણકે પઠાણને લઇને અત્યાર સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હવે આ તો આવનારો સમય જ કહેશે કે કેઆરકેના દાવામાં કેટલી વાસ્તવિકતા છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow