કલમ 370 હટાવવા મુદ્દે દલીલ કરનાર કાશ્મીરના લેક્ચરરને કેમ બરતરફ કરાયા : ચીફ જસ્ટિસ

કલમ 370 હટાવવા મુદ્દે દલીલ કરનાર કાશ્મીરના લેક્ચરરને કેમ બરતરફ કરાયા : ચીફ જસ્ટિસ

કેન્દ્ર સરકાર દ્વારા કલમ-370 નાબૂદ કરવાના મામલામાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમકોર્ટે કલમ 370 નાબૂદ કરવા પર સવાલ ઉઠાવનાર લેક્ચરર પર શિક્ષણ વિભાગની કાર્યવાહીની નોંધ લીધી. સીજેઆઈ ડી.વાય. ચન્દ્રચૂડે જમ્મુ -કાશ્મીરના શિક્ષણ વિભાગમાંથી સસ્પેન્ડ કરાયેલા લેક્ચરર ઝહુર અહમદ ભટનો ઉલ્લેખ કર્યો હતો. સીજેઆઈ ચન્દ્રચૂડે સોલિસિટર જનરલ તુષાર મહેતાને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે વાત કરવા અને ભટને પદ પરથી કેમ હટાવવામાં આવ્યા તે જાણવાનો નિર્દેશ આપ્યો હતો.

23 ઓગસ્ટે કોર્ટમાં દલીલ કરી, 25એ સસ્પેન્ડ
પોલિટિકલ સાયન્સના વરિષ્ઠ લેક્ચરર ઝહુર ભટે 23 ઓગસ્ટના રોજ બંધારણીય બેન્ચ સમક્ષ હાજર થયા અને કલમ 370 હટાવવા સામે દલીલ કરી. તેમણે કહ્યું હતું કે ઓગસ્ટ 2019થી જમ્મુ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓને ભારતીય રાજકારણ શીખવવું મુશ્કેલ બની ગયું છે. વિદ્યાર્થીઓ પૂછે છે કે શું હજુ પણ દેશમાં લોકશાહી છે? બે દિવસ પછી 25 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર શિક્ષણ વિભાગે ભટને સસ્પેન્ડ કરી દીધા હતા.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow