કપાળ પર જ કેમ કરવામાં આવે છે તિલક? જાણો તેના સાથે જોડાયેલા નિયમ અને અચુક ઉપાય

કપાળ પર જ કેમ કરવામાં આવે છે તિલક? જાણો તેના સાથે જોડાયેલા નિયમ અને અચુક ઉપાય

સનાતન પરંપરામાં દેવી-દેવતાઓની પૂજામાં વપરાતા તિલકનું ધાર્મિક મહત્વ ઘણું છે. ભગવાનની પૂજાનું અભિન્ન અંગ ગણાતા તિલકનો ઉપયોગ અલગ-અલગ દેવી-દેવતાઓ માટે અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જેમ ભગવાન શિવ માટે ભસ્મનું તિલક કરવામાં આવે છે તેમ ભગવાન વિષ્ણુ માટે પીળા ચંદનનું તિલક વપરાય છે.

દેવી-દેવતાઓના શણગાર માટે વપરાતા તિલકને ભગવાનનો મહાપ્રસાદ પણ માનવામાં આવે છે. આવો જાણીએ પૂજામાં ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના તિલકના ધાર્મિક મહત્વ અને તેનાથી સંબંધિત ચોક્કસ ઉપાય વિશે.‌

તિલક લગાવવાનો નિયમ
પવિત્ર તિલક જેને ભગવાનનો આશીર્વાદ માનવામાં આવે છે. તે હંમેશા સ્નાન અને ધ્યાન કર્યા પછી ઉત્તર દિશા તરફ મુખ કરીને બંને ભ્રમર એટલે કે આજ્ઞા ચક્ર પર લગાવવું જોઈએ. ભગવાનને અનામિકા આંગળીથી તિલક લગાવવું જોઈએ. જ્યારે સ્વયંને મધ્ય આંગળી અથવા અંગૂઠાથી તિલક લગાવવું જોઈએ.

પૂજામાં તિલક લગાવવાથી થતા લાભ
ભગવાનની પૂજામાં તિલકને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે. જેને માથા પર લગાવવાથી ન માત્ર દૈવી કૃપા જળવાઈ રહે છે પરંતુ તેની શુભ અસરથી વ્યક્તિનું મન શાંત રહે છે. આજ્ઞા ચક્ર પર લગાવવામાં આવેલ તિલક તમારા મનને માત્ર શાંત જ નથી રાખતું પણ તમને સકારાત્મક ઉર્જા પણ આપે છે.

આ જ કારણ છે કે હિંદુ ધર્મ સાથે સંકળાયેલા શૈવ, વૈષ્ણવ અને શાક્ત પરંપરા સાથે જોડાયેલા તમામ લોકો પૂજા દરમિયાન ખૂબ જ આસ્થા અને વિશ્વાસની સાથે તેને ધારણ કરે છે. પૂજામાં વપરાતું તિલક માત્ર કપાળ પર જ નહીં પરંતુ માથા, ગરદન, બંને હાથ, હૃદય, નાભિ, પીઠ વગેરે પર પણ લગાવવામાં આવે છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow