ભોજનમાં કેમ નાંખવામાં આવે છે મીઠો લીમડો?: ડાયાબિટીસથી લઈ સ્કીન કેર સુધી, મળે છે આ 5 ફાયદા

ભોજનમાં કેમ નાંખવામાં આવે છે મીઠો લીમડો?: ડાયાબિટીસથી લઈ સ્કીન કેર સુધી, મળે છે આ 5 ફાયદા

મીઠો લીમડો અનેક સમસ્યાને દૂર કરી શકે

મીઠા લીમડાનો અનેક ભારતીય ડિશમાં સામેલ કરી શકાય છે. મીઠો લીમડાને દાળ, ઉપમા, ઉત્તપમ, પકોડા, ચા, ઉકાળો, ફેસ માસ્ક, હેર માસ્ક અને ઘણી રીતે ઉપયોગમાં લઇ શકાય છે.  

મીઠા લીમડામાં વિટામિન એ, વિટામિન બી, સી, બી2, કેલ્શિયમ અને આયરનની સારી માત્રા હોય છે. જાણો શરીર, સ્કિન અને વાળની સમસ્યાને દૂર કરવામાં મીઠો લીમડો કામ આવે છે અને તેનો ઉપયોગ કેવીરીતે કરી શકાય છે.

મીઠા લીમડાના ફાયદા અને ઉપયોગની રીત

સારા પાચન માટે

અપચો, એસિડિટી અને પેટની અન્ય સમસ્યાને દૂર કરવા માટે મીઠા લીમડાનુ સેવન કરી શકાય છે.  

જેનુ સારી રીતે સેવન કરવા માટે ભૂખ્યા પેટ મીઠો લીમડો ચાવી શકો છો અથવા પછી મીઠા લીમડાને પાણીમાં ઉકાળીને અને ગાળીને આ પાણીને પી શકો છો.

વજન ઘટાડવામાં મળે છે મદદ

મીઠા લીમડો કોલેસ્ટ્રોલ y6ને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ફેટ બર્ન થતા શરીરનુ વજન ઘટાડવામાં પણ સહાયતા મળે છે. સૌથી સારી રીત છે કે તમે મીઠા લીમડાને ભોજનમાં એડ કરો. સુકો અથવા તાજો મીઠો લીમડો સલાડ, સૂપ, શાકભાજી અને ડિટૉક્સ વોટરમાં ઉપયોગ કરી શકાય છે.

ડાયાબિટીસ માટે

મીઠા લીમડાના સેવનથી બ્લડ ગ્લૂકોઝ લેવલ ઘટવા લાગે છે. જેની સાથે ઈન્સુલિન પ્રોડ્યુસિંગ સેલ્સ પ્રોટેક્ટ થાય છે અને ફ્રી રેડિકલ્સથી થતા ડેમેજને પણ મીઠો લીમડો રોકે છે. ડાયાબિટીસના દર્દી મીઠો લીમડો ચાવી અથવા તેનો રસ પી શકે છે.

વાળના ગ્રોથ માટે

ખરતા વાળથી પરેશાન છો તો વાળના ગ્રોથ માટે મીઠા લીમડાનો ઉપયોગ કરો. ડેન્ડ્રફ દૂર કરવા માટે ફ્લેકી સ્કેલ્પથી છૂટકારો મેળવવા માટે મીઠો લીમડો ફાયદાકારક છે. મીઠા લીમડાને પીસીને વાળ પર હેર માસ્કની જેમ લગાવી શકાય છે. આ ઉપરાંત મીઠા લીમડાને સુકવીને પાઉડર બનાવીને પણ લગાવવો સારો રહે છે.

Read more

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

એક્ટર રૂમર્ડ ગર્લફ્રેન્ડનો બોડીગાર્ડ બન્યો, રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ માટે પહોંચ્યાં હતાં

'સ્કાય ફોર્સ' ફેમ એક્ટર વીર પહાડિયા અને 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' ફેમ એક્ટ્રેસ તારા સુતરિયા હાલમાં ફિલ્મો કરતાં તેમની લવ લાઇફને

By Gujaratnow
સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ મા

By Gujaratnow
ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગંભીરા બ્રિજ દુર્ઘટના: સસ્પેન્ડેડ 4 અધિકારીની મિલકતની તપાસ SIT કરશે

ગત 9 જૂલાઇની વહેલી સવારે પાદરા તાલુકાના મુજપુર-ગંભીરા બ્રિજ તૂટી પડવાની ગોઝારી દુર્ઘટનાને આજે(1 ઓગસ્ટ, 2025) 24મો દિવસ છે. આ દુર્ઘટનામાં 21 લો

By Gujaratnow