દરરોજ કેમ પીવુ જોઈએ કારેલાનુ પાણી? ફાયદા જાણી આ કડવી વસ્તુ પણ સારી લાગશે

દરરોજ કેમ પીવુ જોઈએ કારેલાનુ પાણી? ફાયદા જાણી આ કડવી વસ્તુ પણ સારી લાગશે

કારેલા ન ગમતા હોય તો કરી લેજો તેની સાથે મિત્રતા

કારેલાનુ નામ સાંભળતા જ ઘણા લોકોનુ મન કડવુ થાય છે, કારણકે તેનો સ્વાદ દરેક વ્યક્તિને પસંદ આવતો નથી.  

પરંતુ આ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જેમાં ઘણા પ્રકારના એન્ટીઑક્સિડેન્ટ હોય છે, જે તમારા શરીરને અનેક બિમારીઓથી બચાવે છે. ભલે તમે કારેલાને જોવાનુ પસંદ ના કરતા હોય,

પરંતુ જો તેના ફાયદા વિશે જાણી લેશો તો કદાચ ના કહેવાની હિંમત નહીં કરો. આવો જાણીએ આ તમારા માટે કઈ રીતે ગુણકારી થઇ શકે છે.

કારેલાનુ પાણી પીવાના ફાયદા

સ્કિન

જો તમે કારેલાનુ પાણી નિયમિત પીશો તો સ્કિનની પરેશાનીઓમાંથી મુક્તિ મળી જશે. ખરેખર તેમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીજ હોય છે, જે ખીલ-ડાઘ, સ્કિન ઈન્ફેક્શનથી તમને બચાવે છે.

ડાયાબિટીસ

જે લોકો સવાર-સાંજ કારેલાનુ પાણી પીવે છે તેમનુ બ્લડ શુગર લેવલ મેન્ટેન રહે છે, કારણકે આ શાકભાજીમાં રહેલા એન્ટીઑક્સિડેન્ટ પેનક્રિયાજ ફંક્શનને સારું કરે છે.

 

આ સિવાય મેટાબૉલિજ્મ બુસ્ટ થાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે.

ડાઈજેશન

કારેલાનુ પાણી પીવુ પેટ માટે ગુણકારી હોય છે, કારણકે તેમાં ફોસ્ફોરસની ભરપૂર માત્રા હોય છે, જેનાથી ડાઈજેશન સારું રહે છે અને કબજીયાતની સમસ્યા દૂર થાય છે.

કેવીરીતે બનાવશો કારેલાનુ પાણી?

કારેલાના પાણીને તૈયાર કરવા માટે બે મોટા આકારના કારેલા લો અને તેને બંને તરફથી અડધુ કાપી નાખો. હવે તેને ગેસ પર પાણીમાં ઉકાળી લો. જેને ગેસ પરથી ઉતાર્યા બાદ ઠંડુ થાય ત્યાં સુધી રાહ જોવો.

ઠંડુ થયા બાદ આ પાણીને ગાળી લો અને તેમાં સ્વાદ મુજબ મીઠુ મિલાવી દો. હવે આ પાણીને સ્ટોર કરીને સવાર-સાંજ પીવો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow