મુસાફરી વખતે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ શા માટે છે જરૂરી? જાણો તેના ફાયદાઓ વિશે

મુસાફરી વખતે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ શા માટે છે જરૂરી? જાણો તેના ફાયદાઓ વિશે

જો તમે મુસાફરી કરવાનું પસંદ કરો છો તો તમારે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ લેવો ખૂબ જ જરૂરી છે. ટ્રાવેલ ઈન્સ્યોરન્સ એર ટિકિટ તેમજ રેલ ટિકિટ અને બસ ટિકિટ પર લઈ શકાય છે. આ ઈન્શ્યોરન્સ સાથે, તમારા ખોવાયેલા સામાનની ભરપાઈ થઈ શકે છે.  જો તમે દુર્ભાગ્યે અકસ્માતનો ભોગ બનો તો સારવારનો ખર્ચ પણ મળે છે અને મૃત્યુના કિસ્સામાં આશ્રિતોને વળતરમાં આર્થિક મદદ મળે છે.

1 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં થાય છે રેલવે ટ્રાવેલ ઈન્શ્યોરન્સ
જો તમે ટ્રેનથી મુસાફરી કરી રહ્યા છો તો તે ઈન્શ્યોરન્સ એ યાત્રીઓને મળે છે. જેઓ ઑનલાઇન રેલ ટિકિટ બુક કરે છે. પરંતુ એવા ઘણા ઓછા લોકો છે જેઓ રેલ્વે ટ્રાટ્રાવેલવેલ ઈન્શ્યોરન્સ વિકલ્પ પસંદ કરે છે. તેનું કારણ એ છે કે તેઓ તેના વિશે જાણતા નથી.

1 રૂપિયાથી ઓછી કિંમતના આ વીમામાં યાત્રીને 10 લાખ રૂપિયા સુધીનું કવર મળે છે. જો તમે તમારી ટિકિટ બુક કરાવતી વખતે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ કરો છો, તો ઈન્સ્યોરન્સ કંપની ટ્રેન દુર્ઘટનાની સ્થિતિમાં કોઈપણ પ્રકારના નુકસાન માટે પેસેન્જરને વળતર આપે છે.

આ રીતે કરાવો ટ્રાવેલ ઇન્શ્યોરન્સ
જ્યારે તમે ઓનલાઈન ટિકિટ બુક કરો છો, ત્યારે ટ્રાવેલ ઈન્સ્યોરન્સનો વિકલ્પ વેબસાઈટ અને એપ પર ઉપલબ્ધ હોય છે. ઘણીવાર લોકો આ વિકલ્પ પર ધ્યાન આપતા નથી. ટિકિટ બુક કરતી વખતે વીમાનો વિકલ્પ જરૂર પસંદ કરો. વીમા માટે તમારી પાસેથી માત્ર થોડા પૈસા વધુ લેવામાં આવે છે. વીમા વિકલ્પ પસંદ કરવા પર, તમારા મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી પર એક લિંક મોકલવામાં આવશે.

આ લિંક વીમા કંપની દ્વારા મોકલવામાં આવશે. આ લિંક પણ જઈને તમારે ત્યાં નોમિનીની વિગતો ભરવાની રહેશે. કારણ કે વીમા પોલિસીમાં નોમિની હોય તો જ વીમાનો ક્લેમ મળવામાં સરળતા રહે છે.

કેટલી મળે છે ક્લેમ એમાઉન્ટ  
જો રેલ્વે ટ્રાવેલ ઈન્સ્યોરન્સ હોય તો મુસાફરી દરમિયાન કોઈ અકસ્માત થાય તો ઈન્સ્યોરન્સ કંપની ટ્રેન અકસ્માતમાં મુસાફરના નુકસાનની ભરપાઈ કરે છે. જો કોઈ યાત્રી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામે છે તો 10 લાખ રૂપિયા વીમા રકમ તરીકે મળે છે.

જો રેલ્વે મુસાફર સંપૂર્ણ રીતે વિકલાંગ થઈ જાય તો પણ વીમા કંપની તેને 10 લાખ રૂપિયા આપે છે. ત્યાં જ આંશિક અપંગતાના કિસ્સામાં, 7.5 લાખ રૂપિયા અને ઈજાના કિસ્સામાં, 2 લાખ રૂપિયા હોસ્પિટલના ખર્ચ તરીકે આપવામાં આવે છે.

નોમિની વિના નહીં મળે રકમ
ટ્રેન અકસ્માતના કિસ્સામાં ઘાયલ વ્યક્તિ, નોમિની અથવા તેના ઉત્તરાધિકારી વીમાનો ક્લેમ કરી શકે છે. ટ્રેન અકસ્માતના 4 મહિનાની અંદર વીમાનો ક્લેમ કરી શકાય છે. તમે વીમા કંપનીના કાર્યાલયમાં જઈને વીમા માટે ક્લેમ દાખલ કરી શકો છો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow