દિવસમાં 10 મિનિટ માટે મહિલાઓ માટે કેમ બંધ થાય છે મહાકાલના દર્શન? જાણો શું છે લોકોની માન્યતા

દિવસમાં 10 મિનિટ માટે મહિલાઓ માટે કેમ બંધ થાય છે મહાકાલના દર્શન? જાણો શું છે લોકોની માન્યતા

મધ્ય પ્રદેશની ધાર્મિક રાજધાની ઉજ્જૈનના પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિર વિશે આપણે બધાએ સાંભળ્યું જ હશે અને આ મંદિર અનેક કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં જ એ મંદિરમાં ભવ્ય મહાકાલ લોક કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું એ વિશે પણ અઆપણે બધા જાણીએ જ છીએ. ઘણા એવા મંદિર વિશે તમે સાંભળ્યું હશે કે જ્યાં મહિલાઓને પ્રવેશ આપવામાં નથી આવાતો પણ મહાકાલ મંદિરમાં આવું નથી. આ મંદિરમાં મહિલાઓ આરામથી પ્રવેશ આપવામાં આવે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે અહીં મહિલાઓને 10 મિનિટ માટે બાબાના દર્શન કરવાની મંજૂરી નથી આપવામાં આવતી. જો કે તેની પાછળનું કારણ ખૂબ જ રસપ્રદ છે અને આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

શિવ કરે છે શંકરનું રૂપ ધારણ
મહાકાલ મંદિરના પંડિતએ આ વિશે જણાવતા કહ્યું હતું કે 'અહીં ભગવાન મહાકાલ શિવ સ્વરૂપમાંથી શંકરના રૂપમાં પ્રવેશ કરે છે એટલે કે નિરાકારમાંથી સ્વરૂપમાં આવે છે અને આ દરમિયાન ભગવાનને ભસ્મ અર્પણ કરવામાં આવે છે. એવા સમયે સ્ત્રીઓ ભગવાનના અભ્યંગ સ્નાનની મુલાકાત લેતી નથી અને જે રીતે વસ્ત્રો બદલવામાં આવે છે તેવી જ રીતે ભગવાન મહાકાલ નિરાકારમાંથી ભૌતિક સ્વરૂપમાં આવે છે અને આ દરમિયાન મહિલાઓને થોડી મિનિટો સુધી દર્શન નથી કરવા દેવામાં આવતા.

12 જયોર્તિલિંગમાંથી ફક્ત અહિયાં જ ચઢવાય છે ભસ્મ
જણાવી દઈએ કે ભગવાન મહાકાલેશ્વરનું સ્થાન 12 જ્યોતિર્લિંગમાં ત્રીજું સ્થાન માનવામાં આવે છે. માન્યતા અનુસાર ભગવાન મહાકાલને બ્રહ્માંડના રાજા પણ માનવામાં આવે છે. એટલા માટે જ આ મંદિરમાં દરરોજ સવારે રાજાધિરાજ ભગવાન મહાકાલને ભસ્મ અર્પણ કરવામાં આવે છે. જણાવી દઈએ કે સવારે પહેલા ભસ્મ આરતી કરવામાં આવે છે એ પછી ભોગ આરતી, સંધ્યા આરતી અને શયન આરતી પછી ભગવાન મહાકાલના દરવાજા બંધ કરવામાં આવે છે. આ મંદિરમાં ભક્તો દરરોજ સવારે 4:00 થી 11:00 વાગ્યા સુધી ભગવાન મહાકાલના દર્શન કરે છે અને આ દરમિયાન મહિલાઓને માત્ર 10 મિનિટ સુધી દર્શન ન કરવા કહેવામાં આવે છે.

મહાકાલની ભસ્મ આરતી
એવું કહેવામાં આવે છે કે મહાકાલની ભસ્મ આરતી માટે પીપળ, અમલતાસ, પલાશ, ખરાબ, શમી અને બૈરના વૃક્ષોના લાકડા અને ટોચને એકસાથે બાળવામાં આવે છે અને આ સમયે મંત્રોનો જાપ પણ કરવામાં આવે છે. એ પછી તેને કપડાથી ગાળીને તેની સાથે બાબાનો શૃંગાર કરવામાં આવે છે.

Read more

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં બાળકને જન્મ આપવા બદલ સરકાર ₹1.30 લાખ આપશે

ચીનમાં સરકારે બાળકને જન્મ આપવા બદલ માતા-પિતાને 1.30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. જન્મ દરમાં સતત ઘટાડાને કારણે સરકારે આ પગલું ભર્યું છે. ચાઇના ડેઇલી

By Gujaratnow
બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

બ્રિટિશ સેનામાં ટૂંક સમયમાં શીખ રેજિમેન્ટ બની શકે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર લંડનના મેયર સાદિક ખાન પર હુમલો કર્યો છે. સ્કોટલેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટા

By Gujaratnow
રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

રાજ્યસભામાં નડ્ડાએ કહ્યું- ખડગેએ માનસિક સંતુલન ગુમાવ્યું

મંગળવારે રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની માફી માંગવી પડી. ખરેખર,

By Gujaratnow
રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટના નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને ડિજિટલ અરેસ્ટ કર્યા, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા

રાજકોટમાં વધુ એક ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. શહેરના રૈયા સ્મશાન પાસે પાટીદાર ચોક નજીક રહેતા નિવૃત ફોરેસ્ટ હેડ ક્લાર્કને મહારા

By Gujaratnow