ઇક્વિટી માર્કેટ સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ELSS શા માટે જરૂરી છે?

ઇક્વિટી માર્કેટ સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ રહ્યું છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ELSS શા માટે જરૂરી છે?

જે રોકાણકારો શેરબજારમાં અપ્રત્યક્ષ રોકાણ કરે છે તેમના માટે ઉપલબ્ધ રોકાણ વિકલ્પોમાં ELSS ખૂબ આકર્ષક છે. કેમકે તે એક સાથે બે મહત્વના લાભ પૂરાં પાડે છે એક તો તેમાં ટેક્સના બેનિફિટ સાથે લોંગ-ટર્મ માટે વેલ્થ ઊભી કરવાની તકો રહેલી છે તેમ સેમ્કો એસેટ મેનેજમેન્ટ પ્રા. લિ.ના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર ઉમેશકુમાર મહેતાએ જણાવ્યું હતું. ઉપરાંત, આ એક મલ્ટીકેપ પ્રકારનું ફંડ હોવાથી તેમાં મીડ-કેપ્સમાં પણ રોકાણ શક્ય છે. જે સમયાંતરે ઊંચો નફો આપતાં હોય છે. 80સી હેઠળ ટેક્સમુક્તિને કારણે ઈએલએસએસમાં ઈન્વેસ્ટમેન્ટનો અસરકારક ખર્ચ અન્ય ફંડ્સમાં રોકાણ કરતાં ઓછો હોય છે. જે રિટર્ન ઓફ ઈન્વેસ્ટમેન્ટ(ROI)ને ઊંચો જાળવે છે.

બીજી ઈએલએસએસ એકમાત્ર પ્યોર ઈક્વિટી સ્કીમ છે. જેમાં ત્રણ-વર્ષ માટે રોકાણનું ફરજિયાત લોક-ઈન રહેતું હોય છે. આમ રોકાણકારોને લાંબાગાળાના ઈન્વેસ્ટમેન્ટનો આકસ્મિક લાભ મળે છે. યુલિપ્સમાં લઘુત્તમ પાંચ વર્ષનું જ્યારે પીપીએફમાં તો 15 વર્ષનું રોકાણ જાળવવાનું રહે છે. આમ ત્રણ વર્ષ એક મધ્યમસરનો રોકાણ પિરિયડ છે. જે ઈન્વેસ્ટર્સને માફક પણ આવે છે.

ELSS ફંડ અન્ય ફંડ્સની સરખામણીમાં કેવી રીતે ઊંચં રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ આપી શકે છે? આ સવાલ થોડો સબ્જેક્વિટ છે. સામાન્યરીતે ઈએલએસએસ ફંડમાં ટેક્સ બેનિફ્ટ ગણીએ તો રિટર્ન વધી જાય પરંતુ કેટલાંક ઈએલએસએસ ફંડ ભાવિ લાર્જ-કેપ્સમાં રોકાણ કરીને ઊચ્ચ દેખાવ જાળવી શકે છે. જો માર્કેટમાં લાર્જ-કેપ્સ અને મીડ-કેપ્સના દેખાવની લાંબાગાળાની એવરેજને ધ્યાનમાં લઈએ અને એપ્રિલ 2005થી ત્રણ વર્ષના સરેરાશ રોલીંગ રિટર્ન્સને આધારે વાત કરીએ તો નિફ્ટી મીડસ્મોલેપ 400 ઈન્ડેસે નિફ્ટી 500 ઈન્ડેક્સની સરખામણીમાં 8 ટકા ઊંચું રિટર્ન દર્શાવ્યું છે. મીડ અને સ્મોલ-કેપ્સ સામાન્યરીતે ઊંચી વોલેટિલિટીનો નેચર ધરાવતાં હોવાના કારણે તેમાં એક વર્ષના હોલ્ડિંગ પિરિયડ સામે ત્રણ-વર્ષ માટેનો રોકાણ પિરિયડ વધુ અનૂકૂળ આવતો હોય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow