છોકરીઓ પગમાં કેમ પહેરે છે ચાંદીની પાયલ? ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણ પણ જાણી લો

છોકરીઓ પગમાં કેમ પહેરે છે ચાંદીની પાયલ? ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણ પણ જાણી લો

ચાંદીને સમૃદ્ધીનુ મનાય છે પ્રતિક

ભારતીય પ્રાચીન જ્યોતિષીઓ મુજબ ચાંદીનો સંબંધ ચંદ્રમા સાથે છે. એવુ માનવામાં આવે છે કે ભગવાન શિવની આંખોમાંથી ચાંદીની ઉત્પત્તિ થઇ હતી. જેના કારણે ચાંદીને સમૃદ્ધીનુ પ્રતિક માનવામાં આવે છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં ચાંદીના પાયલનુ ખાસ મહત્વ છે. પરંતુ ઈજિપ્ત અને મધ્ય પૂર્વ દેશોમાં તેને આરોગ્ય સાથે જોડવામાં આવે છે. આ દેશોમાં એવી માન્યતા છે કે પાયલ પહેરવાથી શારીરીક અને માનસિક આરોગ્ય પર સકારાત્મક અસર થાય છે અને તેના માટે તેઓ કારણ પણ જણાવે છે. તમે પણ જાણો કે ચાંદીની પાયલ પહેરવાથી તમારા હેલ્થને કેવીરીતે ફાયદો થાય છે.

શરીરમાંથી નિકળતી નથી એનર્જી

ચાંદી એક પ્રતિક્રિયાશીલ ધાતુ છે અને આ કોઈના શરીરમાંથી નિકળતી ઉર્જાને પાછી શરીરમાં ધકેલી દે છે. તમારી મોટાભાગની એનર્જી હાથ અને પગથી તમારા શરીરને છોડી દે છે અને ચાંદી, કાંસા જેવી ધાતુઓ એક અડચણ રૂપે કાર્ય કરે છે, જેનાથી ઉર્જાને તમારા શરીરમાં પાછી લાવવામાં મદદ મળે છે. એટલેકે ચાંદીની વીંટી, પગમાં પહેરવામાં આવતી રિંગ અને પાયલ તમારી ઉર્જાને બહાર નિકળવા દેતી નથી. તેથી પાયલ પહેરવાથી વધુ ઉર્જાવાન અને વધુ સકારાત્મકતા અનુભવાય છે.

આખરે સોનાની પાયલ કેમ પહેરવામાં આવતી નથી?

આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન મુજબ ચાંદી પૃથ્વીની ઉર્જાની સાથે સારી રીતે પ્રતિક્રિયા કરે છે, જ્યારે સોનુ શરીરની ઉર્જા અને આભાની સાથે સારી રીતે પ્રતિક્રિયા કરે છે. તેથી ચાંદીની પાયલ અને પગની આંગળીમાં પહેરવામાં આવતી રિંગ તરીકે પહેરવામાં આવે છે. જ્યારે સોનાનો ઉપયોગ શરીરના ઉપરના ભાગને સજાવવા માટે કરવામાં આવે છે.

Read more

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow
આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

આણંદપરમાં પતિએ પત્નીને રહેંસી નાખી, ધર્મની બહેનના ઝઘડામાં વચ્ચે પડેલા ભાઈને રહેંસી નખાયો

એક સમયનું શાંત અને સલામત રાજકોટ આજે રક્તરંજીત બની બની ગયું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં મળી ચાર દિવસમાં પાંચ હત્યાના બનાવ સામે આવ્યા છે. જેમાં ગઈકાલે

By Gujaratnow
પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

પાટીદાર પરિવારનો પ્રોપર્ટી વિવાદ: એક્ટ્રેસ ક્રિસ્ટીનાએ પિતાનો ઓડિયો રિલીઝ કર્યો

રાજકોટમાં પાટીદાર પરિવારની મિલકતનો વિવાદ વધુ ગરમાયો છે, અભિનેત્રી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કરીને પોતાના મોટા

By Gujaratnow