જથ્થાબંધ ફુગાવો 21 મહિનાના તળિયે

જથ્થાબંધ ફુગાવો 21 મહિનાના તળિયે

રિટેલ મોંઘવારીમાં રાહત મળ્યા પછી હવે જથ્થાબંધ મોંઘવારીમાં પણ રાહતના સમાચાર છે. વિવિધ ઉત્પાદનો, ઇંધણ અને ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયા પછી જથ્થાબંધ કિંમતો આધારિત મોંઘવારી દર પણ નવેમ્બરમાં 21 મહિનાના નીચલા સ્તરે પહોંચીને 5.85% પર આવી ગયો છે.

નવેમ્બર 2021માં આ આંકડો 14.87% હતો. જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક પર આધારિત મોંઘવારી 19 મહિના સુધી બે આંકમાં રહ્યા પછી ઓક્ટોબરમાં ઘટીને 8.39% થઇ હતી. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે દેશના લોકોને મોંઘવારીથી હજુ પણ રાહત મળશે. આ માટે સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પણ બુધવારે કહ્યું કે નવેમ્બરમાં મોંઘવારી દરમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ખાદ્યાન્ન, બેઝિક મેટલ, કાપડ, રસાયણ અને રાસાયણિક ઉત્પાદનો, કાગળ તેમજ તેમાંથી બનેલાં ઉત્પાદનોની કિંમત ઘટી તે છે. નવેમ્બર પહેલાં મોંઘવારીનું નીચલું સ્તર 2021માં 4.83%એ હતું. નવેમ્બરમાં ખાદ્યાન્ન ફુગાવો 14.87% હતો, જે ઓક્ટોબરમાં 8.33% હતો.

આ દરમિયાન શાકભાજીના ભાવ ઘટીને -20.08% પર આવી ગયા હતા, જે ઓક્ટોબરમાં 17.61% હતા.ઇંધણ અને વીજળીનો મોંઘવારી દર 17.35% અને ઉત્પાદિત ચીજવસ્તુઓની મોંઘવારી 3.59% પર છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow