કોણ પડે જફામાં ! ભારતની 81 ટકા મહિલાઓને નથી લેવો 'પરણવાનો સ્વાદ', કારણ ચોંકાવનારુ

કોણ પડે જફામાં ! ભારતની 81 ટકા મહિલાઓને નથી લેવો 'પરણવાનો સ્વાદ', કારણ ચોંકાવનારુ

ભારતમાં લગ્ન અને રિલેશનશિપને લઈને કરવામાં આવેલ સર્વેનાં આંકડા સામે આવ્યાં છે. આ સર્વે લગ્ન અને રિલેશનશિપ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોને લઈને કરવામાં આવ્યો હતો જે એક ડેટિંગ એપ બંબલ Bumble દ્વારા કરવામાં આવ્યો છે. બંબલનાં અધ્યયન મુજબ 5માંથી આશરે 2 (39%) ડેટિંગ કરતી ભારતીયોનું માનવું છે કે તેમના પરિવારજનો તેમને લગ્નની સીઝન દરમિયાન પાત્ર શોધવાનું કે લગ્ન કરવાનું કહેતા રહે છે.

39% લોકોએ કહ્યું કે તેઓ દબાણ અનુભવી રહ્યાં છે

સર્વે દરમિયાન પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારે લગ્ન કરવા ઈચ્છે છે? આ પ્રશ્ન પર 39% લોકોએ કહ્યું કે તેઓ દબાણ અનુભવી રહ્યાં છે. ભારતમાં થનારાં લગ્નની સીઝન દરમિયાન સર્વેક્ષણમાં શામેલ અવિવાહિત ભારતીયોમાંથી લગભગ 33% લોકોનું કહેવું છે કે એક પ્રતિબદ્ધ, લોન્ગટર્મ સંબંધમાં પ્રવેશ કરવા માટે તેઓ દબાણનો અનુભવ કરે છે. તેમનું કહેવું છે કે લાંબા સમય માટે ચાલનારાં લગ્નનાં સંબંધમાં જોડાવા માટે તેઓ મજબૂર થઈ રહ્યાં છે.

81% મહિલાઓ એકલા રહેવા ઈચ્છે છે
એક રિપોર્ટ અનુસાર ડેટિંગ એપ બંબલે જણાવ્યું કે ભારતમાં 81% મહિલાઓનું કહેવું છે કે તેઓ અવિવાહિત રહેવા અને એકલા રહેવામાં વધુ ખુશ અને આરામદાયક અનુભવ કરે છે. 81% મહિલાઓનું કહેવું છે કે સિંગલ રહેવામાં જ તેઓ સૂકુન અનુભવે છે. 63% લોકોનું કહેવું છે કે તેઓ પ્રાથમિકતાઓ, જરૂરિયાતો અને આવશ્યકતાઓની આગળ નમશે નહીં. એક સર્વે અનુસાર 83% મહિલાઓનું કહેવું છે કે તેઓ ત્યાં સુધી રાહ જોશે જ્યાં સુધી તેમને કોઈ યોગ્ય વ્યક્તિ નથી મળતી.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow