કોણ પડે જફામાં ! ભારતની 81 ટકા મહિલાઓને નથી લેવો 'પરણવાનો સ્વાદ', કારણ ચોંકાવનારુ

કોણ પડે જફામાં ! ભારતની 81 ટકા મહિલાઓને નથી લેવો 'પરણવાનો સ્વાદ', કારણ ચોંકાવનારુ

ભારતમાં લગ્ન અને રિલેશનશિપને લઈને કરવામાં આવેલ સર્વેનાં આંકડા સામે આવ્યાં છે. આ સર્વે લગ્ન અને રિલેશનશિપ સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોને લઈને કરવામાં આવ્યો હતો જે એક ડેટિંગ એપ બંબલ Bumble દ્વારા કરવામાં આવ્યો છે. બંબલનાં અધ્યયન મુજબ 5માંથી આશરે 2 (39%) ડેટિંગ કરતી ભારતીયોનું માનવું છે કે તેમના પરિવારજનો તેમને લગ્નની સીઝન દરમિયાન પાત્ર શોધવાનું કે લગ્ન કરવાનું કહેતા રહે છે.

39% લોકોએ કહ્યું કે તેઓ દબાણ અનુભવી રહ્યાં છે

સર્વે દરમિયાન પૂછવામાં આવ્યું કે તેઓ ક્યારે લગ્ન કરવા ઈચ્છે છે? આ પ્રશ્ન પર 39% લોકોએ કહ્યું કે તેઓ દબાણ અનુભવી રહ્યાં છે. ભારતમાં થનારાં લગ્નની સીઝન દરમિયાન સર્વેક્ષણમાં શામેલ અવિવાહિત ભારતીયોમાંથી લગભગ 33% લોકોનું કહેવું છે કે એક પ્રતિબદ્ધ, લોન્ગટર્મ સંબંધમાં પ્રવેશ કરવા માટે તેઓ દબાણનો અનુભવ કરે છે. તેમનું કહેવું છે કે લાંબા સમય માટે ચાલનારાં લગ્નનાં સંબંધમાં જોડાવા માટે તેઓ મજબૂર થઈ રહ્યાં છે.

81% મહિલાઓ એકલા રહેવા ઈચ્છે છે
એક રિપોર્ટ અનુસાર ડેટિંગ એપ બંબલે જણાવ્યું કે ભારતમાં 81% મહિલાઓનું કહેવું છે કે તેઓ અવિવાહિત રહેવા અને એકલા રહેવામાં વધુ ખુશ અને આરામદાયક અનુભવ કરે છે. 81% મહિલાઓનું કહેવું છે કે સિંગલ રહેવામાં જ તેઓ સૂકુન અનુભવે છે. 63% લોકોનું કહેવું છે કે તેઓ પ્રાથમિકતાઓ, જરૂરિયાતો અને આવશ્યકતાઓની આગળ નમશે નહીં. એક સર્વે અનુસાર 83% મહિલાઓનું કહેવું છે કે તેઓ ત્યાં સુધી રાહ જોશે જ્યાં સુધી તેમને કોઈ યોગ્ય વ્યક્તિ નથી મળતી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow