ડાયાબિટિસ માટે કયાં ફળ સૌથી બેસ્ટ અને કયા ન ખવાય?, ટિપ્સ વાંચી લો હેલ્થને અનેક ઘણો થશે ફાયદો

ડાયાબિટિસ માટે કયાં ફળ સૌથી બેસ્ટ અને કયા ન ખવાય?, ટિપ્સ વાંચી લો હેલ્થને અનેક ઘણો થશે ફાયદો

લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવશો તો શુગરને કંટ્રોલ કરી શકો છો

તમે તમારી લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવશો તો આપોઆપ શુગરને કંટ્રોલ કરી શકો છો અને સાથે તમારી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. ડાયાબિટિસના દર્દીઓ માટે કેટલાંક ફળો એવા હોય છે જે એમની હેલ્થને ફાયદો પહોંચાડે છે, તો કેટલાક ફળો શુગર લેવલ વધારે છે જેના કારણે હેલ્થને નુકસાન પહોંચે છે. ઘણાં ફળોમાં ફ્રૂકટોઝ નામની એક પ્રકારની ખાંડ હોય છે, જે ફળોમાં કુદરતી રીતે હાજર હોય છે.

ડાયાબિટિસ છે તો તમારે દરરોજ 150 થી 200 ગ્રામ ફળ ખાવાં જોઇએ

વાસ્તવમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ડાયાબિટિસના દર્દીઓ નિયમિત પણે ફળોનું સેવન કરે છે તો આ જોખમને ઘટાડી શકાય છે. આ સાથે જ અમુક ફળો એવાં હોય છે જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વઘારે હોય છે જે બ્લડ શુગરમાં વધારો કરવાનું કામ કરે છે. આમ, આ ટાઇપનાં ફળોનું સેવન ના કરવું જોઇએ.  

જો તમારું બ્લડ શુગર વારંવાર વધી જાય છે તો તમારે ચેતવું જોઇએ. જો તમને ડાયાબિટિસ છે તો તમારે રોજ ૧૫૦ થી ૨૦૦ ગ્રામ ફળ ખાવાં જોઇએ, પરંતુ જો તમારું શુગર લેવલ વધારે હોય તો આ માત્રા ઘટીને ૧૦૦ થી ૧૫૦ ગ્રામ થઇ જાય છે. આ સાથે જ ઉચ્ચ ગ્લાયકેમિક ફળોની માત્રા લગભગ ૧૦૦ ગ્રામ હોઇ શકે છે. લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ સાથે ફળોને એડ કરવા જોઇએ નહીં. કારણકે આપણો ખોરાક કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે. ફળોમાં પણ કાર્બોહાઇડ્રેટ્સનો સ્ત્રોત સારો હોય છે.

ડાયાબિટિસના લોકો માટે શ્રેષ્ઠ ફળો

ડાયાબિટિસના લોકો માટે સફરજન, જામફળ, નારંગી, પપૈયું અને તરબૂચ સૌથી બેસ્ટ છે. આ ફળોમાં ચરબી, કેલરી અને સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. આ ફળોમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ડાયાબિટિસના લોકો માટે ખરાબ ફળો

ડાયાબિટિસના દર્દીઓ માટે ઓછા સારા ગણાતાં ફળોમાં ચીકુ, દ્રાક્ષ, કેળાં, કેરી, જેક ફ્રૂટ્સનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ ફળો ખાવાથી લોહીમાં શર્કરાનું સ્તર વધવાના ચાન્સિસ હોય છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow