ડાયાબિટિસ માટે કયાં ફળ સૌથી બેસ્ટ અને કયા ન ખવાય?, ટિપ્સ વાંચી લો હેલ્થને અનેક ઘણો થશે ફાયદો

ડાયાબિટિસ માટે કયાં ફળ સૌથી બેસ્ટ અને કયા ન ખવાય?, ટિપ્સ વાંચી લો હેલ્થને અનેક ઘણો થશે ફાયદો

લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવશો તો શુગરને કંટ્રોલ કરી શકો છો

તમે તમારી લાઇફ સ્ટાઇલમાં બદલાવ લાવશો તો આપોઆપ શુગરને કંટ્રોલ કરી શકો છો અને સાથે તમારી હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે. ડાયાબિટિસના દર્દીઓ માટે કેટલાંક ફળો એવા હોય છે જે એમની હેલ્થને ફાયદો પહોંચાડે છે, તો કેટલાક ફળો શુગર લેવલ વધારે છે જેના કારણે હેલ્થને નુકસાન પહોંચે છે. ઘણાં ફળોમાં ફ્રૂકટોઝ નામની એક પ્રકારની ખાંડ હોય છે, જે ફળોમાં કુદરતી રીતે હાજર હોય છે.

ડાયાબિટિસ છે તો તમારે દરરોજ 150 થી 200 ગ્રામ ફળ ખાવાં જોઇએ

વાસ્તવમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ડાયાબિટિસના દર્દીઓ નિયમિત પણે ફળોનું સેવન કરે છે તો આ જોખમને ઘટાડી શકાય છે. આ સાથે જ અમુક ફળો એવાં હોય છે જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ વઘારે હોય છે જે બ્લડ શુગરમાં વધારો કરવાનું કામ કરે છે. આમ, આ ટાઇપનાં ફળોનું સેવન ના કરવું જોઇએ.  

જો તમારું બ્લડ શુગર વારંવાર વધી જાય છે તો તમારે ચેતવું જોઇએ. જો તમને ડાયાબિટિસ છે તો તમારે રોજ ૧૫૦ થી ૨૦૦ ગ્રામ ફળ ખાવાં જોઇએ, પરંતુ જો તમારું શુગર લેવલ વધારે હોય તો આ માત્રા ઘટીને ૧૦૦ થી ૧૫૦ ગ્રામ થઇ જાય છે. આ સાથે જ ઉચ્ચ ગ્લાયકેમિક ફળોની માત્રા લગભગ ૧૦૦ ગ્રામ હોઇ શકે છે. લંચ, ડિનર અને બ્રેકફાસ્ટ સાથે ફળોને એડ કરવા જોઇએ નહીં. કારણકે આપણો ખોરાક કાર્બોહાઇડ્રેટ્સથી ભરપૂર હોય છે. ફળોમાં પણ કાર્બોહાઇડ્રેટ્સનો સ્ત્રોત સારો હોય છે.

ડાયાબિટિસના લોકો માટે શ્રેષ્ઠ ફળો

ડાયાબિટિસના લોકો માટે સફરજન, જામફળ, નારંગી, પપૈયું અને તરબૂચ સૌથી બેસ્ટ છે. આ ફળોમાં ચરબી, કેલરી અને સોડિયમનું પ્રમાણ ઓછું હોય છે. આ ફળોમાં પોટેશિયમની માત્રા વધારે હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ડાયાબિટિસના લોકો માટે ખરાબ ફળો

ડાયાબિટિસના દર્દીઓ માટે ઓછા સારા ગણાતાં ફળોમાં ચીકુ, દ્રાક્ષ, કેળાં, કેરી, જેક ફ્રૂટ્સનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આ ફળો ખાવાથી લોહીમાં શર્કરાનું સ્તર વધવાના ચાન્સિસ હોય છે.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow