આખરે ક્યારે રીલીઝ થશે 'પઠાણ'નુ ટ્રેલર? શાહરૂખ ખાને Tweetમાં કર્યો મોટો ખુલાસો

આખરે ક્યારે રીલીઝ થશે 'પઠાણ'નુ ટ્રેલર? શાહરૂખ ખાને Tweetમાં કર્યો મોટો ખુલાસો

શાહરૂખ ખાને પઠાણના ટ્રેલર અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન હાલમાં અપકમિંગ ફિલ્મ પઠાણને લઇને ખૂબ ચર્ચામાં છે. આ દરમ્યાન કિંગ ખાને પોતાની વિવાદીત ફિલ્મના પ્રમોશન માટે નવી રીત શોધી કાઢી છે. શાહરૂખ ખાને સો.મીડિયા દ્વારા પ્રશંસકોને સીધા તેમના સવાલના જવાબ આપ્યાં છે. રવિવારે ટ્વિટર પર અભિનેતાએ આસ્ક મી એનિથિંગ સેશન હોસ્ટ કર્યુ. જેમાં પઠાણના ટ્રેલર રીલીઝ કરવાની પણ માહિતી આપી.

ક્યારે રીલીઝ થશે પઠાણનુ ટ્રેલર

ટ્વિટર પર શાહરૂખના પ્રશંસકો તેમને સુંદર પ્રશ્ન પૂછી રહ્યાં હતા. જેના બદલામાં અભિનેતાએ ખૂબ રમૂજી રિપ્લાય આપીને પ્રશંસકોનુ દિલ ખુશ કર્યુ. એક યુઝરે શાહરૂખને પૂછ્યુ, તમે ચૉપર ઉડાવવાનુ ક્યારે શીખ્યુ છે? જેના જવાબમાં તેમણે કહ્યું, સાઈકલ ચલાવવાની સાથે-સાથે. તો અન્ય એક પ્રશંસકે પૂછ્યુ કે તમે પઠાણનુ ટ્રેલર રીલીઝ કેમ કરી રહ્યાં નથી? જેના જવાબમાં શાહરૂખ ખાને લખ્યું, 'હા હા મેરી મર્જી.'

શાહરૂખ ખાને કેવીરીતે બનાવી સૉલિડ બૉડી?

આસ્ક મી એનિથિંગ સેશન દરમ્યાન એક ચાહકે ફિલ્મ પઠાણની તેમની એક તસ્વીર શેર કરતા પૂછ્યુ, તમને કેટલો સમય થયો આવી બૉડી બનાવવામાં? જેના જવાબમાં તેમણે કહ્યું, ભાઈ 57 વર્ષ. 57 વર્ષની ઉંમરમાં શાહરૂખ ખાને પઠાણ માટે સારું ટ્રાન્સફોર્મેશન કર્યુ છે. એબ્સથી લઇને ફુલ ફિજિકમાં કિંગ ખાન વધુ હોટ લાગી રહ્યાં છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow